(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા તેલુગુ નવા વર્ષ સુભાકૃતિ-2022 ઉગાડી ઉત્સવનું આયોજન અયપ્પા મંદિર પરિસર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મેહમાન તરીકે દિલ્હીના તેલુગુ ગઝલકારગઝલ શ્રીનિવાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે અધિકારી શ્રી ક્રિષ્ના ચૈતન્ય, બ્રહ્માકુમારીની બહેનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.