Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ મહેસુલ વિભાગ દ્વારા ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામોને દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસુલ વિભાગ દ્વારા ત્રણ દિવસથી સરકારી જમીન અને સરકારી કોતર નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલથી લઇ ખરડપાડા ગામ અંકલાશ ગુજરાત હદ સુધી 28જગ્‍યા પર ગેરકાયદેસર બાંધકામોને જેસીબી વડે દુર કરવામા આવ્‍યા હતા અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના ચિંચપાડા,વાસોણા અને પાટી ગામના 32 જગ્‍યા પર ગેરકાયદેસર બાંધકામને દુરકરવામા આવ્‍યા હતા.
આવનાર દિવસોમા સેલવાસ વિભાગ દ્વારા દાદરા પટેલાદ અને ખાનવેલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદમા ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે. પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરવામા આવ્‍યો છે કે કોઈએ પણ સરકારી જમીન, સરકારી કોતર અથવા નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો પોતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને દુર કરવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

ગુજરાત બોડી બિલ્‍ડર્સ એસોસિએશનના ઉપક્રમે દાનહઃ ડોકમરડી સ્‍થિત ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં ગુજરાત બોડી બિલ્‍ડીંગ અને ફિટનેશ ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah

પ્રદેશમાં કોરોનાના કેસો વધતા સંઘપ્રદેશમાં ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો આદેશ : ઓનલાઈન ક્‍લાસો ચાલશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં આદિવાસીઓઍ કરેલો સત્યાગ્રહ: વિધાનસભા ઘેરવાનો કરેલો પ્રયાસ

vartmanpravah

Leave a Comment