April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પર 12મી જૂનના રોજ મોટું ગાબડું પડયું હતું. જેના કારણે તાત્‍કાલિક અસરથી બ્રિજ પરથી ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. આ પુલનું સમારકામ હજુ પણ ચાલી રહ્યું હોવાના કારણે દાદરા નગર હવેલી કલેક્‍ટર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ રખોલી બ્રિજ પરથી ભારે અને અતિ ભારે તેમજ કોમર્શિયલ વાહનોને 13 જૂનથી 18 જૂન સુધી પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. જેને હવે અધૂરા કામના કારણે વધારી આગામી 23 જૂન સુધી ભારેથી અતિ ભારે અને કોમર્શિયલ વાહનોને આ પુલ પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે.
પ્રશાસન દ્વારા સુચના આપવામાં આવી છે કે, વાસોણા, દપાડા, સુરંગી, ખાનવેલ, વેલુગામ રૂટના વાહનોને તલાસરી થઈ ખાનવેલ તરફ વાળવામાં આવે, જ્‍યારે સેલવાસ તરફ આવવા માટે પ્રવેશતા તમામ ભારે અને વ્‍યાપારી વાહનો રાબેતા મુજબ ભીલાડથી સેલવાસ તરફ આવશે. તમામ પ્રકારના પેસેન્‍જર અને લાઈટ મોટર વ્‍હીકલને આ પુલ પરથી પસાર થવા દેવામાં આવનાર હોવાનું દાનહ જિલ્લામેજીસ્‍ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

Leave a Comment