March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પર 12મી જૂનના રોજ મોટું ગાબડું પડયું હતું. જેના કારણે તાત્‍કાલિક અસરથી બ્રિજ પરથી ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. આ પુલનું સમારકામ હજુ પણ ચાલી રહ્યું હોવાના કારણે દાદરા નગર હવેલી કલેક્‍ટર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ રખોલી બ્રિજ પરથી ભારે અને અતિ ભારે તેમજ કોમર્શિયલ વાહનોને 13 જૂનથી 18 જૂન સુધી પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. જેને હવે અધૂરા કામના કારણે વધારી આગામી 23 જૂન સુધી ભારેથી અતિ ભારે અને કોમર્શિયલ વાહનોને આ પુલ પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે.
પ્રશાસન દ્વારા સુચના આપવામાં આવી છે કે, વાસોણા, દપાડા, સુરંગી, ખાનવેલ, વેલુગામ રૂટના વાહનોને તલાસરી થઈ ખાનવેલ તરફ વાળવામાં આવે, જ્‍યારે સેલવાસ તરફ આવવા માટે પ્રવેશતા તમામ ભારે અને વ્‍યાપારી વાહનો રાબેતા મુજબ ભીલાડથી સેલવાસ તરફ આવશે. તમામ પ્રકારના પેસેન્‍જર અને લાઈટ મોટર વ્‍હીકલને આ પુલ પરથી પસાર થવા દેવામાં આવનાર હોવાનું દાનહ જિલ્લામેજીસ્‍ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

‘ચલો બુલાવા આયા હે, સાંઈ બાબાને બુલાયા હે’ દમણઃ મરવડના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડીનું કરેલું પ્રસ્‍થાન

vartmanpravah

સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્‍ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્‍વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

vartmanpravah

Leave a Comment