December 2, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પર 12મી જૂનના રોજ મોટું ગાબડું પડયું હતું. જેના કારણે તાત્‍કાલિક અસરથી બ્રિજ પરથી ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. આ પુલનું સમારકામ હજુ પણ ચાલી રહ્યું હોવાના કારણે દાદરા નગર હવેલી કલેક્‍ટર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ રખોલી બ્રિજ પરથી ભારે અને અતિ ભારે તેમજ કોમર્શિયલ વાહનોને 13 જૂનથી 18 જૂન સુધી પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. જેને હવે અધૂરા કામના કારણે વધારી આગામી 23 જૂન સુધી ભારેથી અતિ ભારે અને કોમર્શિયલ વાહનોને આ પુલ પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે.
પ્રશાસન દ્વારા સુચના આપવામાં આવી છે કે, વાસોણા, દપાડા, સુરંગી, ખાનવેલ, વેલુગામ રૂટના વાહનોને તલાસરી થઈ ખાનવેલ તરફ વાળવામાં આવે, જ્‍યારે સેલવાસ તરફ આવવા માટે પ્રવેશતા તમામ ભારે અને વ્‍યાપારી વાહનો રાબેતા મુજબ ભીલાડથી સેલવાસ તરફ આવશે. તમામ પ્રકારના પેસેન્‍જર અને લાઈટ મોટર વ્‍હીકલને આ પુલ પરથી પસાર થવા દેવામાં આવનાર હોવાનું દાનહ જિલ્લામેજીસ્‍ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ભારતીય જનતા પાર્ટીએ તેના 44મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણીઃ ઠેર ઠેર ભાજપના ઝંડાનું કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

વલસાડ છીપવાડ અંડરપાસ નજીક રિક્ષા પલ્‍ટી મારતા ચાલક સહિત ચાર મુસાફરો ઘાયલ

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

વલસાડ કુંડી ઓવરબ્રિજ ઉપર બટાકા ભરેલ ટ્રક પલટી મારતા અકસ્‍માત સર્જાયો :ચાલકનો બચાવ

vartmanpravah

Leave a Comment