April 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સુખાલા ગામે માજપાડા ફળિયા રહેતા ભજનિક સંગીતકાર વિજયભાઈ આનંદરાવ જાદવને ઘરના આંગણામાં આસોપાલવના ઝાડ પરથી મધની માખી ડંખ મારવાથી મોત થતા સમગ્ર વિસ્‍તારમાં શોકની કાલિમા પ્રસરી ગઈ છે.
સ્‍થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘરના આંગણામાં આસોપાલવના ઝાડ પર મધ હતું. એ મધની માખી એક ઘરના છોકરાને કરડી હતી. જેની જાણ થતા તપાસ કરતા ઘરના આંગણામાં આવેલા આસોપાલવના ડાળી પર નાનું દેશી મધ જોવા મળતા વિજયભાઈ ધારીયું લઈ ડાળી કાપવા જતા મધની માખી દ્વારા હુમલો કરતા માથા અને ગળા પર ડંખ મારિયા હતા. મધની માખી નાની હોય તો કોઈ અસર ના પડે પરંતુ થોડીવારમાં કંઈક શરીરમાં તકલીફ જણાતા પરિવારજનોએ ખાનગી વાહનમાં સારવાર અર્થે નાનાપોંઢા સરકારી હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્‍પિટલમાં પહોંચવા પહેલા મૃત્‍યુપામ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે. ડોક્‍ટર દ્વારા તપાસ કરતાં વિજયભાઈ જાદવને મૃત જાહેર કરવામાં આવ્‍યો હતો.
મૃતક વિજયભાઈ જાદવના મોતની જાણ થતાં સમગ્ર વિસ્‍તારમાં દુઃખની લાગણીઓ ફેલાઈ ગઈ હતી. વિજયભાઈના પિતા પણ થોડા દિવસો પહેલા મૃત્‍યુ પામ્‍યા હતા. એમનું પરિવાર અને વિજયભાઈ ધાર્મિક સાથે ભજન કીર્તન માટે સમગ્ર વિસ્‍તારમાં ઓળખવામાં આવે છે. ઘરકામ કરી નિયમિત ભજનોના કાર્યક્રમો હાજરી આપતા હતા. વિજયભાઈને શ્રદ્ધાંજલી આપવા અને સ્‍મશાન યાત્રામાં મિત્રો ગામના આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

વાપી ભડકમોરા અંબિકા જ્‍વેલર્સમાં 3 બુકાનીધારી લૂંટારાઓ હવામાં ફાયરીંગ કરી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી રૂા.10.70 લાખ લૂંટી ફરાર

vartmanpravah

Leave a Comment