(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સુખાલા ગામે માજપાડા ફળિયા રહેતા ભજનિક સંગીતકાર વિજયભાઈ આનંદરાવ જાદવને ઘરના આંગણામાં આસોપાલવના ઝાડ પરથી મધની માખી ડંખ મારવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા પ્રસરી ગઈ છે.
સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘરના આંગણામાં આસોપાલવના ઝાડ પર મધ હતું. એ મધની માખી એક ઘરના છોકરાને કરડી હતી. જેની જાણ થતા તપાસ કરતા ઘરના આંગણામાં આવેલા આસોપાલવના ડાળી પર નાનું દેશી મધ જોવા મળતા વિજયભાઈ ધારીયું લઈ ડાળી કાપવા જતા મધની માખી દ્વારા હુમલો કરતા માથા અને ગળા પર ડંખ મારિયા હતા. મધની માખી નાની હોય તો કોઈ અસર ના પડે પરંતુ થોડીવારમાં કંઈક શરીરમાં તકલીફ જણાતા પરિવારજનોએ ખાનગી વાહનમાં સારવાર અર્થે નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોંચવા પહેલા મૃત્યુપામ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર દ્વારા તપાસ કરતાં વિજયભાઈ જાદવને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતક વિજયભાઈ જાદવના મોતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણીઓ ફેલાઈ ગઈ હતી. વિજયભાઈના પિતા પણ થોડા દિવસો પહેલા મૃત્યુ પામ્યા હતા. એમનું પરિવાર અને વિજયભાઈ ધાર્મિક સાથે ભજન કીર્તન માટે સમગ્ર વિસ્તારમાં ઓળખવામાં આવે છે. ઘરકામ કરી નિયમિત ભજનોના કાર્યક્રમો હાજરી આપતા હતા. વિજયભાઈને શ્રદ્ધાંજલી આપવા અને સ્મશાન યાત્રામાં મિત્રો ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.