(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06
મરાઠા સેવા સંઘ દમણની ટીમ તા.6/04/2022ના રોજ સંઘપ્રદેશ દમણ-દીવના પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલના નેતૃત્વમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલા પ્રદેશના સર્વાંગી વિકાસ કાર્યો માટે પુષ્પગુચ્છ અને છત્રપતી શિવાજી મહારાજની પ્રતિમા આપી તેમનું અભિવાદન કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને દમણમાં છત્રપતી શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે અને તે જગ્યા તેમના નામથી ઓળખાય તેવી વિનંતી કરવામાં આવી હતી. આઅવસરે કાશીનાથ કાંડેકર, સંજય રોથે, રાજેન્દ્ર પવાર, રાજેન્દ્ર કોકાટે, અનિલ ગડબેલે, કળષ્ણા કરાલે, સંજય પાટીલ, સ્વપિ્નલ શિંદે, રવિ પાટીલ, પ્રશાંત ભીસે ઉપસ્થિત રહ્યા હતા.