September 1, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

પ્રત્‍યેક રવિવારે વલસાડમાં ખાસ રવિવારી બજાર યોજાય છે : બહારગામથી પણ વેપારી અને ગ્રાહકો ઉમટે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
પાછલા ત્રણ દિવસથી વલસાડ જિલ્લા અને વલસાડ વિસ્‍તારમાં કોરોનાનું સંક્રમણ બેફામ બની રહ્યું છે. જેને અટકાવવા વહીવટી તંત્ર તરફથી એક એક નવા નિયમો આદેશ જાહેર કરવામાં આવી રહ્યા છે. આજે વલસાડ સીટીમાં સ્‍પેશિયલ રિક્ષા લાઉડ સ્‍પિકર દ્વારા જાહેર સુચના આપવામાં આવી હતી કે આગામી રવિવારથી વલસાડમાં યોજાતુ રવિવારી બજાર હવે પછીથી બંધ રાખવું એવો કલેક્‍ટર વલસાડએ હૂકમ જાહેર કરેલ છે.
આમ સામાન્‍ય માનવીની રોજીંદી નાની નાની ચીજવસ્‍તુઓની જરૂરીયાત માટે વલસાડમાં સ્‍પેશિયલ રવિવારી બજાર ભરાય છે. જેમાં દૂર દૂરથી લોકો સામાન ખરીદવા આવતા હોય છે પરંતુ કોરોનામાં થઈ રહેલ બેફામ વધારાને ધ્‍યાને લઈને જિલ્લા વહિવટી તંત્રએ આગામી રવિવારથી વલસાડમાં યોજાતુ રવિવારી બજાર બંધ રાખવાનો હૂકમ આપ્‍યો છે તેમજ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારને શિક્ષાત્‍મક કાર્યવાહી થશે તેવી રિક્ષા લાઉડ સ્‍પિકરથી આજે જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના રૂ.43.42 કરોડના ખર્ચે બનનારા ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે દમણ દાભેલની સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંક દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મહત્ત્વાકાંક્ષી ‘‘ગૌ લીલા” યોજનાનો આરંભ

vartmanpravah

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રિપલઅકસ્‍માત સર્જાયો : કન્‍ટેનર પલટી મારી જતા ટ્રાફિકમાં ટ્રકએ કારને ટક્કર મારી ઘસડી ગયો

vartmanpravah

Leave a Comment