Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

પ્રત્‍યેક રવિવારે વલસાડમાં ખાસ રવિવારી બજાર યોજાય છે : બહારગામથી પણ વેપારી અને ગ્રાહકો ઉમટે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
પાછલા ત્રણ દિવસથી વલસાડ જિલ્લા અને વલસાડ વિસ્‍તારમાં કોરોનાનું સંક્રમણ બેફામ બની રહ્યું છે. જેને અટકાવવા વહીવટી તંત્ર તરફથી એક એક નવા નિયમો આદેશ જાહેર કરવામાં આવી રહ્યા છે. આજે વલસાડ સીટીમાં સ્‍પેશિયલ રિક્ષા લાઉડ સ્‍પિકર દ્વારા જાહેર સુચના આપવામાં આવી હતી કે આગામી રવિવારથી વલસાડમાં યોજાતુ રવિવારી બજાર હવે પછીથી બંધ રાખવું એવો કલેક્‍ટર વલસાડએ હૂકમ જાહેર કરેલ છે.
આમ સામાન્‍ય માનવીની રોજીંદી નાની નાની ચીજવસ્‍તુઓની જરૂરીયાત માટે વલસાડમાં સ્‍પેશિયલ રવિવારી બજાર ભરાય છે. જેમાં દૂર દૂરથી લોકો સામાન ખરીદવા આવતા હોય છે પરંતુ કોરોનામાં થઈ રહેલ બેફામ વધારાને ધ્‍યાને લઈને જિલ્લા વહિવટી તંત્રએ આગામી રવિવારથી વલસાડમાં યોજાતુ રવિવારી બજાર બંધ રાખવાનો હૂકમ આપ્‍યો છે તેમજ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારને શિક્ષાત્‍મક કાર્યવાહી થશે તેવી રિક્ષા લાઉડ સ્‍પિકરથી આજે જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સોમનાથની એસવીજી કંપનીના સુપરવાઈઝરની હત્‍યામાં સામેલ કામદારને જનમટીપ અને રૂા.10 હજારના દંડની સજાનો કરેલો આદેશ

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી

vartmanpravah

Leave a Comment