Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

વલસાડઃતા.૦૭: આગામી દિવસોમાં ચૈત્રમાસ રમઝાન માસની શરૂઆતને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ઉપર વિપરિત અસર ન થાય તે હેતુસર જાહેર શાંતિ સલામતી જાળવવા સારૂ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ એન.એ.રાજપૂતે તાત્‍કાલિક અસરથી તા. ૧૪/૦૪/૨૦૨૨ સુધી વિવિધ કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જે અનુસાર શષાો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્‍પુ, છરા, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઇ જવાની, સ્‍ફોટક પદાર્થ લઇ જવાની, કોઇપણ સરઘસમાં જતી અથવા પેટાવેલી મશાલ લઇ જવાની, વ્‍યક્‍તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, અપમાન કરવાના ઇરાદાથી બિભત્‍સ સૂત્રો પોકારવાની, અશ્‍લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવાની, જેનાથી સુરુચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની, તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્‍ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજા કોઇપણ પદાર્થ અથવા વસ્‍તુ તૈયાર કરવા, બતાવવા તથા ફેલાવો કરવાની મનાઇ ફરમાવી છે. આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્‍યક્‍તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાની ફરજ હોઇ કે પોલીસ અધિક્ષક વલસાડ અથવા તેણે અધિકૃત કરેલા કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારિરીક અશક્‍તિને કારણે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોઇ તેવી વ્‍યકિત અને જિલ્લા મેજિસ્‍ટ્રેટ આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્‍યક્‍તિને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને-૧૯૫૧ ના મુંબઇ પોલીસ અધિનિયમ (સને-૧૯૫૧ ના ૨૨ મા)ના કાયદાની કલમ-૧૩પ(૧) મુજબ ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે.

Related posts

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

કલીયારીની ગ્રા.પં. ભવન બાંધકામમાં એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડતા મા×મ પંચાયતની નોટિસ: એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડી દેવાતા ગ્રામજનોમાં ભારો આક્રોશ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા નવરાત્રીના શુભ અવસરે થનગનાટ ગરબા મહોત્‍સવનું થનારૂં આયોજન

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

Leave a Comment