July 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: સમાજ સુધારક, કવિ, ગદ્ય સાહિત્‍યકાર વીર નર્મદ લાભ શંકર દવેનો જન્‍મ 24 ઓગસ્‍ટ 1833ના રોજ સુરતમાં થયો હતો. કવિ નર્મદના જન્‍મદિવસને આ વર્ષે 190 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ધરમપુર પાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમાન પૂજન કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્‍મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરી હતી.
કવિશ્રી વીર નર્મદ કવિતા, ગદ્ય પ્રકારનું સાહિત્‍ય લખવાની સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્‍ધાઓ, કુરિવાજોથી સમાજને બચાવવા પોતાની જાત હોમી દીધી હતી. આજથી 150 વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાયતે માટે વિધવાસ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં. તેમણે લેખન કાર્યમાં સમાજ સુધારણા માટે ‘દાંડિયા’ નામનું સામયિક દ્વારા સાહિત્‍ય સેવા અને સમાજ સેવા કરી હતી. તેમનું પ્રેમ શૌર્ય અંકિત કાવ્‍ય ‘જય જય ગરવી ગુજરાત’ આજે પણ એટલું જ પ્રચલિત છે. વીર કવિની જન્‍મજયંતીની ઉજવણી પ્રસંગે ધરમપુર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર ફ્રાન્‍સિસ વસાવા, પાલિકાના ચીફ ઓફિસર ડો. વિજયભાઈ ઈટાલિયા, પાલિકાના માજી ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ, લાઈબ્રેરીના સૌથી જૂના વાચક સભ્‍ય અને જાણીતા ચર્ચાપત્રી રાયસિંગભાઈ વળવી તથા લાઈબ્રેરીના વાચક યુવા-યુવતીઓ મોટી સંખ્‍યામાં હાજર રહી વીર નર્મદની પ્રતિમા પાસે દીપ પ્રાગટય કરી ફૂલહાર ચઢાવી વીર નર્મદને નમન કરી જન્‍મજયંતીની ઉજવણી કરી હતી.

Related posts

વાપી શહેરમાં આજથી ત્રણ દિવસ વલસાડ જિલ્લામાં સૌથી ઊંચો તિરંગો લહેરાશે

vartmanpravah

વલસાડ એન્જીનીયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલ ઇ. વી. એમ.ના સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા નમો અને જિયો એપ બાબતની તેમની અરજી સંદભેં  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષીપ્રા આગ્રેની સ્પષ્ટતા

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નાની દમણના કોળી પટેલ હોલ ખાતે કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની વિશાળ સભા

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment