October 14, 2025
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે ડો.ભીમરાવ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 12 કલાકે બંધારણનાઘડવૈયા કહેવાતા એવા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન દીવ જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ડો.ભીમરાવ આંબેડકરની ફોટો પાસે પુષ્‍પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્‍યારબાદ કાર્યક્રમમાં આગળ શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ દવે દ્વારા ડો.ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્ર વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી. તેમના દ્વારા દેશ માટે કરાયેલા કાર્યોની પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે નગર પાલિકા બીજેપી દલિત મહિલા કાઉન્‍સિલર હેમલતાબેન દિનેશ સોલંકીને પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા અને નગર પાલિકા વિસ્‍તારમાં પાંચ વર્ષ દરમિયાન તેમના સરાહનિય કાર્યની પ્રસંશા બીજેપી પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહે કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મહિલા હોદેદારો અヘનિી ભરત, હેમલતાબેન દિનેશ સોલંકી, હિના સોલંકી, ચિંતન સોલંકી, ભરત બામણીયા, હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment