December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘મારી માટી, મારો દેશ’, ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં 1971ના ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના યુદ્ધમાં ફૌજી તરીકે લડનારા શ્રી અમ્રતભાઈ કે. રાઠોડનું તેમના ઘરે જઈ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય સેનાના નિવૃત્ત સૈનિક શ્રી અમ્રતભાઈ કે. રાઠોડની તબિયત નાદુરસ્‍ત હોવાના કારણે તેઓ સવારે કાર્યક્રમ સ્‍થળ સુધી પહોંચી નહીં શક્‍યા હતા. જેની નોંધ લઈ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં પંચાયતની ટીમ ફૌજીના ઘરે પહોંચી તેમનું આદર સાથે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સરપંચ શ્રી દ્વારા શાલ ઓઢાડી સ્‍મૃતિ પત્ર આપી તેમનું અભિવાદન કરાયું હતું અને તેમના તંદુરસ્‍ત નિરોગી જીવનની કામના પણ કરી હતી. આ કાર્યક્રમમાં પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ, શ્રી રોહિત ગોહિલ વગેરે જોડાયા હતા.

Related posts

વાપીનાકેબીએસ એન્ડ નટરાજ કોલેજનો એમ.એસ.સી. કેમેસ્ટ્રીના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

સંઘપ્રદેશની કાયાપલટ કરી વિકસિત પ્રદેશ બનાવવા રાત-દિવસ મહેનત કરનારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિને શુભકામના પાઠવવા શુભેચ્‍છકોની લાગેલી લાંબી કતાર

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

Leave a Comment