October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘મારી માટી, મારો દેશ’, ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં 1971ના ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના યુદ્ધમાં ફૌજી તરીકે લડનારા શ્રી અમ્રતભાઈ કે. રાઠોડનું તેમના ઘરે જઈ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય સેનાના નિવૃત્ત સૈનિક શ્રી અમ્રતભાઈ કે. રાઠોડની તબિયત નાદુરસ્‍ત હોવાના કારણે તેઓ સવારે કાર્યક્રમ સ્‍થળ સુધી પહોંચી નહીં શક્‍યા હતા. જેની નોંધ લઈ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં પંચાયતની ટીમ ફૌજીના ઘરે પહોંચી તેમનું આદર સાથે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સરપંચ શ્રી દ્વારા શાલ ઓઢાડી સ્‍મૃતિ પત્ર આપી તેમનું અભિવાદન કરાયું હતું અને તેમના તંદુરસ્‍ત નિરોગી જીવનની કામના પણ કરી હતી. આ કાર્યક્રમમાં પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ, શ્રી રોહિત ગોહિલ વગેરે જોડાયા હતા.

Related posts

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah

તાલુકામાં ગ્રા. પં.ની ચૂંટણી માટે ચીખલી મામલતદાર અને તાલુકા પંચાયત એમ બે કચેરીમાંજ ઉમેદવારી પત્રકો સ્‍વીકારવાની કામગીરી હાથધરાઈ

vartmanpravah

ધરમપુરમાં કોંગ્રેસની જનમંચ રેલી યોજાઈ: વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને આડેહાથે લીધી

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

મોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ સમસ્‍યા જાણવા શરૂ કરેલો પ્રયાસ

vartmanpravah

Leave a Comment