September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલ અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ નિમેશ દમણિયાએ આપેલી હાજરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા (એસ.સી.મોરચા)ના રાષ્‍ટ્રીયપદાધિકારીઓની બેઠક 20 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશના સિમલા શહેરમાં યોજાઈ હતી. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલ અને પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી નિમેશ દમણિયા ઉપસ્‍થિત રહ્યા હતા.
ઉપરોક્‍ત મીટીંગમાં અનુસૂચિત જાતિ મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી લાલસિંહ આર્ય મુખ્‍ય મહેમાન હતા અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પ્રભારી શ્રી વી. સતિષ અને રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી. એલ. સંતોષ અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
સિમલામાં ભાજપના કાર્યાલયમાં આયોજિત અનુસૂચિત જાતિ મોરચાની આ બેઠકની અધ્‍યક્ષતા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી લાલ સિંહ આર્યએ કરી હતી અને આ બેઠકમાં સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ અને પ્રદેશ પ્રભારી અને પક્ષના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.
આ બેઠકમાં શ્રી લાલસિંહ આર્યએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, બેઠકમાં અનુસૂચિત વર્ગોને લાભ આપવા અંગે આગામી ત્રણથી ચાર મહિના માટે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્‍યા છે, જ્‍યારે આગામી કાર્યક્રમમાં રાજ્‍યના પ્રભારી અને સહ-પ્રભારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં સંગઠનને મજબૂત કરવા માટે વ્‍યૂહરચનાતૈયાર કરવામાં આવશે.
અતિ મહત્‍વપૂર્ણ આ રાષ્‍ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં, ભારતમાં અનુસૂચિત જાતિ સમાજના આર્થિક વિકાસ અને શૈક્ષણિક વિકાસના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી, અનુસૂચિત જાતિ મોરચાના અધિકારીઓના પ્રતિનિધિ મંડળે હિમાચલ પ્રદેશના મહામહિમ રાજ્‍યપાલ શ્રી રાજેન્‍દ્ર આર્લેકર સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

Related posts

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

કપરાડાની હુડા પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર નીકળી

vartmanpravah

સેલવાસના નક્ષત્ર વન નજીકથી 15 ફૂટ લાંબો અજગર પકડી જંગલમાં છોડવામાં આવ્‍યો

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

Leave a Comment