Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

‘‘પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ પર દીવને મળી ભેટ વણાંકબારા ફિશિંગ હાર્બરના નિર્માણ માટે રૂા.128.86 કરોડની રકમ મંજૂર કરાઈ

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી, રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહે આજે નવી દિલ્‍હીમાં ‘‘પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે કરેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12: પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ પર, કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહે કેન્‍દ્ર શાસિત પ્રદેશ 3ઝના દીવ જિલ્લાના માછીમારો માટે મોટી ભેટની જાહેરાત કરી છે. નવી દિલ્‍હીમાં આ અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે દેશના વિવિધ પ્રોજેક્‍ટ્‍સમાં માછીમારો માટે મોદી સરકાર દ્વારા મંજૂર કરાયેલા ભંડોળની માહિતી શેર કરી હતી. જેમાં દીવ જિલ્લાના વણાકબારા ખાતે માછીમારી બંદર માટે રૂા.128.86 કરોડની નાણાકીય મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પી.એમ. મોદીને દીવ જિલ્લાના માછીમારોની સુવિધા માટે વણાંકબારા ફિશિંગ હાર્બર પ્રોજેક્‍ટને મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ પછી, આ પ્રોજેક્‍ટ માટે 100 ટકા ભારત સરકારના ભંડોળની ફાળવણી માટે પણ વિનંતી કરવામાં આવી હતી. હવે ભારત સરકારે વણાંકબારા ફિશિંગ હાર્બર માટે રૂા.128.86 કરોડ મંજૂર કરીને આ પ્રોજેક્‍ટને શક્‍ય તેટલી વહેલી તકે જમીન પરથી ઉતારવાનો માર્ગ સાફકર્યો છે.

Related posts

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્‍તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્‍યા

vartmanpravah

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

Leave a Comment