(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ગેરકાયદેસર બાંધકામોને હટાવવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા દાદરા પટેલાદમા પાંચ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામો હટાવવામા આવ્યા છે. જેમા એક કંપની દ્વારા કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામ હટાવવામા આવ્યું હતું અને ઢાબાઓને પણ હટાવવામા આવ્યા હતા.
પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરે છે કે કોઈપણ સરકારી કોતર અને નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય એને જાતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને હટાવવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.