October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

ઢાબા સંચાલકોને તેમની જગ્‍યા એન.એ.કરાવવામાં રાખવામાં આવશે ઉદારતા અને જ્‍યાં સુધી એન.એ.નહીં થાય ત્‍યાં સુધી હંગામી ધોરણે ઢાબાનો કારોબાર ચાલુ રાખવા કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં હાલમા સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ અંતર્ગત દરેક દુકાનદારોને આગળના ભાગના પતરાં અને શેડ દુર કરાવવામા આવી રહ્યા છે અને કેટલીક દુકાનોના માલિકોને પાલિકાના અધિકારીઓ દ્વારા દુકાનો તોડવાની પણ જાણ કરવામા આવી છે જે સંદર્ભે અટલભવન સેલવાસ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ અને એમની ટીમને રજૂઆત કરવા સ્‍થાનિક વેપારીઓ પહોંચ્‍યા હતા અને તેઓનીસમસ્‍યા અંગે વિસ્‍તળત ચર્ચા કરી હતી.
સેલવાસ અટલ ભવન પર પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા સેલવાસ પાલિકા વિસ્‍તારના વેપારીઓ તેમજ જિલ્લા પંચાયત વિસ્‍તારના ઢાબા સંચાલકોએ પોતાની તકલીફોની રજૂઆત કરી હતી. જેને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતળત્‍વમા મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, પાલિકા પ્રમુખ શ્રી રાકેશ ચૌહાણ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી દિગ્‍વીજયસિંહ પરમાર તાત્‍કાલિક સેલવાસ કલેક્‍ટર શ્રી રાકેશ મિન્‍હાસને મળી વેપારી તેમજ ઢાબા સંચાલકોને પડી રહેલી તકલીફ તેમજ નુકસાન વિશે અવગત કરાવ્‍યા હતા.
જે સંદર્ભે કલેક્‍ટરે આવતા સોમવારે એક સંકલન બેઠકનું આયોજન કર્યું છે. જેમા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયેલા સભ્‍યો તેમજ વેપારી ઉપસ્‍થિત રહેશે. પ્રદેશ ભાજપના પદાધિકારીઓ નગરપાલિકા તથા જિલ્લા પંચાયતમા આવેલી દુકાનોને તોડાવી નહિ અને આગળ વધારેલ પતરાં કે શેડને કાઢી નાંખવા માટે 7 દિવસનો સમય આપવા વિનંતી કરી અને ઢાબાવાળા માટે જલ્‍દીથી જમીન એનએ કરી આપવા તેમજ બાંધકામની પરમિશન આપવા રજૂઆત કરી હતી અને જ્‍યાં સુધી ઢાબાવાળની જમીન એનએ નહી થાય તેમજ નહી મળે ત્‍યાં સુધી તેમને હંગામી ધોરણપર વ્‍યવસાય ચાલુ રાખવાની છૂટ આપવાની વિનંતી કરવામાં આવી હતી.
પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ વેપારીઓ તેમજ ઢાબા માલિકોને જણાવ્‍યું હતું કે, નિયમમાં રહી વેપાર તેમજ ઢાબાઓ ચલાવવા એ આપણી ફરજ છે.
વધુમાં એમણે જણાવ્‍યું હતું કે, સેલવાસ સ્‍માર્ટ સિટી બની રહ્યુ છે એની સાથે વેપારીઓએ પણ પોતાનો સહયોગ આપવો જરૂરી છે,ગરમી તેમજ વરસાદમાં કોઈ પણ વેપારીને નુકસાન નહી થાય એનું પણ ધ્‍યાન રાખતા નક્કી કરાયેલ ડિઝાઇનના 5 ફૂટના પતરાં લગાવવા માટે કલેક્‍ટરને રજૂઆત કરી છે. ઉપરોક્‍ત રજૂઆત પર કલેક્‍ટર આવતા સોમવારે વેપારી તેમજ જનપ્રતિનિધિ સાથે બેઠક કરી યોગ્‍ય નિર્ણય લેશે.

Related posts

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

મતદાન જાગૃતિનો અદ્‌ભૂત નજારો: મોબાઈલના ફલેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

Leave a Comment