July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામ

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

365 થી વધુ બોટલ રકત એકત્રિત કરી માનવતાનુ રજૂ કરેલું ઉત્તમ ઉદાહરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07
આજરોજ સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનના સભાખંડમાં સ્‍વ. એન આર અગ્રવાલજીની 11મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિર આયોજન કરવામાં આવ્‍યું હતું.
એસઆઇએ તેમજ ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ લિમિટેડ અને એન.આર.અગ્રવાલ લિમિટેડના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત રક્‍તદાન શિબિરમાં 365થી વધુ બોટલો રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું છે. રક્‍તદાન શિબિરમાં લાયન્‍સ બ્‍લડ બેન્‍ક, હરિયા બ્‍લડ બેન્‍ક અને રેડ ક્રોસ બ્‍લડ બેંકના કર્મચારીઓએ દાક્‍તરી સેવા આપી હતી. કેમ્‍પનો પ્રારંભ સવારના 9.30 કલાકે કરવામાં આવ્‍યો હતો. જે સાંજના પાંચ વાગ્‍યા સુધી ચાલ્‍યો હતો.
આ કાર્યક્રમમાં એસ.આઈ.એ.ના પ્રમુખ શ્રીવી.ડી.શિવદાશન, પૂર્વ પ્રમુખ શ્રી શિરિષભાઈ દેસાઇ, સોશિયલ કમિટીના ચેરમેન શ્રી બી.કે.દાયમા, સેક્રેટરીશ્રી સમીમભાઈ રીઝવી, સહમંત્રીશ્રી સેહુલભાઈ પટેલ, ખજાનજી શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી હેમંતભાઈ મંડોલી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજજનભાઈ મુરારકા, શ્રી આનંદ પટેલ, શ્રી જયંતીલાલ દામા તેમજ ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ લિમિટેડ કંપનીના કર્મચારી શ્રી વિનય પરાસર, એન આર અગ્રવાલ કંપનીના કર્મચારી શ્રી હેમાંગભાઈ નાયક સહિત અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

લ્‍યો કરો વાત…દમણ ન.પા. દ્વારા છપલી શેરીના ટોયલેટના વપરાશકારો પાસેથી ચાર્જ પણ વસૂલ કરાતો હતો

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

Leave a Comment