April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રિ-મોન્‍સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે

આ વર્ષે પણ ચોમાસામાં ઢોલર જંક્‍શન, સરકારી કવાર્ટરો, ભામટી, નવયુગ ફળિયું મગરવાડા સહિતના વિસ્‍તારોમાં પાણીની રેલમછેલ રહેવાની સંભાવના

મુખ્‍ય માર્ગની ગટર ઉપર પેવર બ્‍લોક લગાવવાની કામગીરી દરમિયાન ગટરમાં પડેલા સિમેન્‍ટ-કોંક્રિટના કચરાને ઉઠાવવાની કાળજી કોન્‍ટ્રાક્‍ટર અને સંબંધિત તંત્રએ નહી લેતા સ્‍થિતિ વણસવાની આશંકા

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વરસાદી પાણીના ભરાવાથી કોઈના જાનમાલને નુકસાન નહીં થાય તેની તકેદારી રાખવા સંબંધિત તંત્રને આપેલી ચીમકી છતાં વિભાગ દ્વારા પોતાની જવાબદારીમાંથીછટકવા અપનાવાતી યુક્‍તિ-પ્રયુક્‍તિઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25
મોટી દમણ ખાતે ગયા વર્ષે ચોમાસામાં ઢોલર જંક્‍શન, ડીઆઈજીના બંગલા નજીક ઢોલર ખાતે સરકારી ક્‍વાર્ટર વિસ્‍તારમાં, ભામટી માહ્યાવંશી ફળિયું અને મેઈન રોડ તથા ભામટી નવીનગરી,પલહિત, નવયુગ ફળિયા મગરવાડા, જમ્‍પોર વારલીવાડ, નાયલાપારડી, વરકુંડ જેવા વિસ્‍તારોમાં પાણીનો ભારે ભરાવો જોવા મળ્‍યો હતો. ગયા વર્ષે પ્રિ-મોન્‍સુન કામગીરીમાં પણ આવેલી ઓટના કારણે સ્‍થિતિ વણસી હતી.
હવે ચોમાસાને માંડ દોઢ કે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. જાહેર બાંધકામ વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા આ વર્ષે પ્રિ-મોન્‍સુન કામગીરી કરતું નજરે પડી રહ્યું છે. પરંતુ મુખ્‍ય માર્ગ ઉપર ફૂટપાથ તોડીને લગાવેલા પેવર બ્‍લોક દરમિયાન ફૂટપાથના પડેલા સિમેન્‍ટના કચરાને કાઢવાની તસ્‍દી કોન્‍ટ્રાક્‍ટરે અને સંબંધિત તંત્ર દ્વારા લેવામાં નહી આવી હોવાના કારણે આ વર્ષે ગયા વર્ષ કરતા પાણી ભરાવાનું બિહામણું સ્‍વરૂપ જોવા મળશે એવું અનુભવીઓ જણાવી રહ્યા છે.
બીજીબાજુ તંત્ર દ્વારા મુખ્‍ય માર્ગને કટીંગ નહી કરવા અપનાવેલી નીતિ-રીતિના કારણે ફરી એકવાર ભામટી માહ્યાવંશી ફળિયાનો વિસ્‍તાર ડુબાણમાં જવાની શક્‍યતા પણ નકારાતી નથી. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલેવરસાદી પાણીના ભરાવાથી કોઈના જાનમાલને નુકસાન નહીં થાય તેની તકેદારી રાખવા સંબંધિત તંત્રને આપેલી ચીમકી છતાં વિભાગ દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકવાની યુક્‍તિ-પ્રયુક્‍તિ અજમાવતા હોવાનું નજરે પડે છે.
વરસાદ શરૂ થવાના આડે હજુ દોઢથી બે મહિના જેટલો સમય બાકી છે. ત્‍યારે તંત્ર દ્વારા યુદ્ધના સ્‍તરે કામગીરી શરૂ કરવામાં આવે તો આ ચોમાસામાં લોકોને પાણી ભરાવામાંથી રાહત થઈ શકશે. જે તે વિસ્‍તારમાં પાણીનો ભરાવો થયા બાદ તેને કાઢવા માટેની કવાયતમાં લાગતા ખર્ચ અને પરિશ્રમ કરતા હાલમાં અગમચેતી રાખી કરેલું આયોજન ઘણું સાર્થક રહેશે એવું પણ કેટલાક અનુભવીઓ જણાવી રહ્યા છે.

Related posts

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડ સ્‍પર્ધામાં દમણઃ કચીગામની સરકારી માધ્‍યમિક શાળાની વિદ્યાર્થીની કુ. નેહા સિંહે અભેદ્ય કોંક્રિટ સાયન્‍સ પ્રોજેક્‍ટની કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment