April 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જળશક્‍તિ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્‍નકારની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં, જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રીસ્‍નેહીલભાઈ દેસાઈની આગેવાનીમાં જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બેઠકમાં યુવા મોરચાની આગેવાની હેઠળ યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહીલભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ/ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શીલ્‍પેશભાઈ દેસાઈ દ્વારા ઉપસ્‍થિત યુવા મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્‍યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ, શીલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રીઓ શ્રી પ્રભાકર યાદવ, શ્રી મયંકભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી ભાસીન દેસાઈ, જિલ્લા યુવા મોરચાના કોષા અધ્‍યક્ષ શ્રી જીગ્નેશભાઈ નંદા, તેમજ જિલ્લા યુવા મોરચા કારોબારી સમિતિના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયત સભ્‍ય પ્રવિણભાઈ પટેલે દાનહના વાઘછીપા ગામના જર્જરિત રસ્‍તા અંગે કલેક્‍ટર ભાનુ પ્રભાને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વાપી હાઈવે ઉપર જલદ કેમિકલ ભરેલા ટેન્‍કરથી છાંટા ઉડતા વેલ્‍સપન કંપનીની બસમાં બેઠેલા કામદારો દાઝ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment