October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામીનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે ત્‍યાંની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ કરેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

નૂતન સ્‍વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્‍ઠા નિમિત્તે 1પ0થી વધુ સંતોના સમુદાય સાથે મહંત સ્‍વામી મહારાજનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે આગમન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજ તાન્‍ઝાનિયાની ભૂમિ પર આજે વહેલી સવારે 3.00 વાગ્‍યે દાર એ સલામ ખાતે ચાર્ટર્ડ વિમાન દ્વારા પધાર્યા છે. સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ ફુવારાથી વિમાનનું સન્‍માન કર્યું હતું.
આફ્રિકા ખંડમાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ છેલ્લી ચાર પેઢીઓથી વસી રહ્યા છે. આヘર્યની વાત તો એ છે કે, તેઓએ ભારતીય સંસ્‍કળતિને જીવંત ટકાવી રાખી છે. જ્‍યારે ભારતમાં જ ભારતીયો પોતાનું પશ્વિમીકરણ કરવામાં ગૌરવ અનુભવે છે ત્‍યારે અત્રેના ગુજરાતી પરિવાર પોતાના બાળકોને ખાસ ગુજરાતી ભણાવી ભારતીય સંસ્‍કળતિનું જતન કરી રહ્યાં છે.
બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા તાજેતરમાં જ અબુધાબીમાં એક મંદિર નિર્માણ કરવામાં આવ્‍યું છે જ્‍યાં અનેક મુસ્‍લિમો સહિત વિદેશી પર્યટકોભારતીય સંસ્‍કળતિના દર્શન કરી રહ્યા છે. આવી જ રીતે તાન્‍ઝાનિયાના પાટનગર દારે એ સલામમાં પણ એક નૂતન સ્‍વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 150થી વધુ સંતોના સમુદાય સાથે મહંત સ્‍વામી મહારાજ અત્રે પધાર્યા છે. અત્રેથી સાઉથ આફ્રિકાના જ્‍હોનિસબર્ગમાં પણ લગભગ સાત એકરમાં વિસ્‍તાર પામેલા નૂતન સ્‍વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થનાર છે. સ્‍વામીશ્રીના આગમનથી હજારો ભાવિકો આનંદવિભોર બની પ્રતિષ્ઠા મહોત્‍સવ માટે થનગની રહ્યાં છે.
અત્રેથી સ્‍વામીશ્રી ઓસ્‍ટ્રેલિયા ખાતે વિશાળ અક્ષરધામ સંકુલનું ખાતમુહૂર્ત કરવા પધારશે.

Related posts

દમણની જે.બી. ફાર્માસ્‍યુટિકલે મરવડની સરકારી શાળાને બુલેટીન બોર્ડ, વોટર એક્‍વાગાર્ડ, પોડિયમ, સ્‍પીકર સહિતની આપેલી ભેટ

vartmanpravah

દાનહ પોલીસનું વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ લંડનમાં નામ દાખલ થયું: સમગ્ર પોલીસ બેડા અને પ્રશાસનમાં આનંદની લાગણી

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાના સાત જેટલા વકીલોને નોટરી તરીકેની આપવામાં આવેલી માન્‍યતા

vartmanpravah

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દિવાળીમાં ચીખલી તાલુકામાં 3 અને નવસારી જિલ્લામાં 1પ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ ખડેપગે સેવા બજાવશે

vartmanpravah

Leave a Comment