March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામીનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે ત્‍યાંની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ કરેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

નૂતન સ્‍વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્‍ઠા નિમિત્તે 1પ0થી વધુ સંતોના સમુદાય સાથે મહંત સ્‍વામી મહારાજનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે આગમન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજ તાન્‍ઝાનિયાની ભૂમિ પર આજે વહેલી સવારે 3.00 વાગ્‍યે દાર એ સલામ ખાતે ચાર્ટર્ડ વિમાન દ્વારા પધાર્યા છે. સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ ફુવારાથી વિમાનનું સન્‍માન કર્યું હતું.
આફ્રિકા ખંડમાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ છેલ્લી ચાર પેઢીઓથી વસી રહ્યા છે. આヘર્યની વાત તો એ છે કે, તેઓએ ભારતીય સંસ્‍કળતિને જીવંત ટકાવી રાખી છે. જ્‍યારે ભારતમાં જ ભારતીયો પોતાનું પશ્વિમીકરણ કરવામાં ગૌરવ અનુભવે છે ત્‍યારે અત્રેના ગુજરાતી પરિવાર પોતાના બાળકોને ખાસ ગુજરાતી ભણાવી ભારતીય સંસ્‍કળતિનું જતન કરી રહ્યાં છે.
બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા તાજેતરમાં જ અબુધાબીમાં એક મંદિર નિર્માણ કરવામાં આવ્‍યું છે જ્‍યાં અનેક મુસ્‍લિમો સહિત વિદેશી પર્યટકોભારતીય સંસ્‍કળતિના દર્શન કરી રહ્યા છે. આવી જ રીતે તાન્‍ઝાનિયાના પાટનગર દારે એ સલામમાં પણ એક નૂતન સ્‍વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 150થી વધુ સંતોના સમુદાય સાથે મહંત સ્‍વામી મહારાજ અત્રે પધાર્યા છે. અત્રેથી સાઉથ આફ્રિકાના જ્‍હોનિસબર્ગમાં પણ લગભગ સાત એકરમાં વિસ્‍તાર પામેલા નૂતન સ્‍વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થનાર છે. સ્‍વામીશ્રીના આગમનથી હજારો ભાવિકો આનંદવિભોર બની પ્રતિષ્ઠા મહોત્‍સવ માટે થનગની રહ્યાં છે.
અત્રેથી સ્‍વામીશ્રી ઓસ્‍ટ્રેલિયા ખાતે વિશાળ અક્ષરધામ સંકુલનું ખાતમુહૂર્ત કરવા પધારશે.

Related posts

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

vartmanpravah

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્‍ત બનાવવા માટે ‘CRIIIO 4 GOOD’ મોડ્‍યુલ લોન્‍ચ કર્યા

vartmanpravah

દમણ ન.પા.ના અધ્‍યક્ષ તરીકે અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે રશ્‍મિ હળપતિનો બિનહરિફ વિજય

vartmanpravah

Leave a Comment