Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04
સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં આવેલ સોરઠીયા મસાલા મિલમાં અગમ્‍ય કારણસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના સેલવાસની પ્રખ્‍યાત મસાલા મિલ એસ.ટી.ડેપોની બાજુમાં આવેલી છે અને મિલ માલિકનો પરિવાર પણ મિલની ઉપર બનાવેલ મકાનમાં રહે છે. આજે બુધવારની રાત્રિએ દશેક વાગ્‍યાના સુમારે અચાનક મિલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી જેથી અંદર કામ કરતા લોકો તાત્‍કાલિક મિલની બહાર નીકળી ગયા હતા, બાદમાં ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા ફાયર ફાઈટરોની ટીમ તાત્‍કાલિક આવી પહોંચી હતી. બાદમાં મિલ માલિકના પરિવારના પાંચ સભ્‍યોનું રેસ્‍ક્‍યુ કરી એમને બહાર લાવવામાં આવ્‍યા હતા. ભીષણ લાગેલ આગને ઓલવવા સેલવાસ, ખાનવેલ, સરીગામ તથા વાપીથી બંબાઓ બોલાવવામાં આવ્‍યા હતા. આગે એવું વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા.

Related posts

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

vartmanpravah

2047 સુધી વિકસિત ભારત બનાવવા  દમણમાં યોજાયેલ બે દિવસીય ‘ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ’ વિકસિત ગામથી વિકસિત જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે સંપન્ન

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

vartmanpravah

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

vartmanpravah

વાપી ભાજપ સંગઠને ગુંજન વંદેમાતરમ્‌ ચોકમાં હાય હાયના નારા સાથે અધીર રંજનના પૂતળાનું દહન કર્યું

vartmanpravah

Leave a Comment