સરપંચ ઉર્વશીબેન પટેલે ગામલોકોને પોતાનું ઘર, સોસાયટીઓ, રુમ, ચાલો, ફેક્ટરીઓમાં સાફ-સફાઈ રાખી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત સંદેશને સાકાર કરવા પ્રેરિત કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ઉપક્રમે પોતાની પંચાયત વિસ્તારના લોકો માટે સમુહ ભોજનનું આયોજન કર્યું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ નિરોગી અને તેજસ્વી ભવિષ્યની કામના કરી હતી.
આ પ્રસંગે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે લોકોને પોતાનું ઘર, સોસાયટીઓ, રુમ, ચાલો, ફેક્ટરીઓમાં સાફ-સફાઈ રાખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત સંદેશને સાકાર કરવા પ્રેરિત કર્યા હતા.