(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18
દાદરા નગર હવેલીના નરોલી ગામે આવેલ એક કંપનીના રૂમની અંદર જ કામદારની તબિયત બગડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામા આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર વિવેક પોલીમર કુંભારવાડી નરોલી ખરડપાડા કંપનીના પરિસરમાં આવેલ રૂમમા રહેતા ધરમચંદ રાધેશ્યામ પાઠક (ઉ.વ.51, મુળ રહેવાસી યુપી) જે સવારે દૈનિક ક્રિયા પતાવી સ્નાન કરીને રૂમમા બેઠો હતો. ત્યારે અચાનક એની તબિયત બગડતા આજુબાજુના રૂમમાં રહેતા અને કંપની સંચાલકો દ્વારા ધરમચંદને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંફરજ પરના ડોકટરે ધરમચંદને એટેક આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ. જેનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. નરોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.