Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલીની કંપનીના રૂમમાં કર્મચારીને એટેક આવતા સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18
દાદરા નગર હવેલીના નરોલી ગામે આવેલ એક કંપનીના રૂમની અંદર જ કામદારની તબિયત બગડતા તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં લઇ જવામા આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમ્‍યાન એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર વિવેક પોલીમર કુંભારવાડી નરોલી ખરડપાડા કંપનીના પરિસરમાં આવેલ રૂમમા રહેતા ધરમચંદ રાધેશ્‍યામ પાઠક (ઉ.વ.51, મુળ રહેવાસી યુપી) જે સવારે દૈનિક ક્રિયા પતાવી સ્‍નાન કરીને રૂમમા બેઠો હતો. ત્‍યારે અચાનક એની તબિયત બગડતા આજુબાજુના રૂમમાં રહેતા અને કંપની સંચાલકો દ્વારા ધરમચંદને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. જ્‍યાંફરજ પરના ડોકટરે ધરમચંદને એટેક આવ્‍યો હોવાનુ જણાવ્‍યુ હતુ. જેનું સારવાર દરમ્‍યાન મોત થયુ હતુ. નરોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah

Leave a Comment