April 26, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલીની કંપનીના રૂમમાં કર્મચારીને એટેક આવતા સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18
દાદરા નગર હવેલીના નરોલી ગામે આવેલ એક કંપનીના રૂમની અંદર જ કામદારની તબિયત બગડતા તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં લઇ જવામા આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમ્‍યાન એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર વિવેક પોલીમર કુંભારવાડી નરોલી ખરડપાડા કંપનીના પરિસરમાં આવેલ રૂમમા રહેતા ધરમચંદ રાધેશ્‍યામ પાઠક (ઉ.વ.51, મુળ રહેવાસી યુપી) જે સવારે દૈનિક ક્રિયા પતાવી સ્‍નાન કરીને રૂમમા બેઠો હતો. ત્‍યારે અચાનક એની તબિયત બગડતા આજુબાજુના રૂમમાં રહેતા અને કંપની સંચાલકો દ્વારા ધરમચંદને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. જ્‍યાંફરજ પરના ડોકટરે ધરમચંદને એટેક આવ્‍યો હોવાનુ જણાવ્‍યુ હતુ. જેનું સારવાર દરમ્‍યાન મોત થયુ હતુ. નરોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડમાં અનુબંધમ પોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

Leave a Comment