Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04
સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં આવેલ સોરઠીયા મસાલા મિલમાં અગમ્‍ય કારણસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના સેલવાસની પ્રખ્‍યાત મસાલા મિલ એસ.ટી.ડેપોની બાજુમાં આવેલી છે અને મિલ માલિકનો પરિવાર પણ મિલની ઉપર બનાવેલ મકાનમાં રહે છે. આજે બુધવારની રાત્રિએ દશેક વાગ્‍યાના સુમારે અચાનક મિલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી જેથી અંદર કામ કરતા લોકો તાત્‍કાલિક મિલની બહાર નીકળી ગયા હતા, બાદમાં ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા ફાયર ફાઈટરોની ટીમ તાત્‍કાલિક આવી પહોંચી હતી. બાદમાં મિલ માલિકના પરિવારના પાંચ સભ્‍યોનું રેસ્‍ક્‍યુ કરી એમને બહાર લાવવામાં આવ્‍યા હતા. ભીષણ લાગેલ આગને ઓલવવા સેલવાસ, ખાનવેલ, સરીગામ તથા વાપીથી બંબાઓ બોલાવવામાં આવ્‍યા હતા. આગે એવું વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

સરકારના ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી ગયા

vartmanpravah

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

vartmanpravah

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah

Leave a Comment