December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04
સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં આવેલ સોરઠીયા મસાલા મિલમાં અગમ્‍ય કારણસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના સેલવાસની પ્રખ્‍યાત મસાલા મિલ એસ.ટી.ડેપોની બાજુમાં આવેલી છે અને મિલ માલિકનો પરિવાર પણ મિલની ઉપર બનાવેલ મકાનમાં રહે છે. આજે બુધવારની રાત્રિએ દશેક વાગ્‍યાના સુમારે અચાનક મિલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી જેથી અંદર કામ કરતા લોકો તાત્‍કાલિક મિલની બહાર નીકળી ગયા હતા, બાદમાં ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા ફાયર ફાઈટરોની ટીમ તાત્‍કાલિક આવી પહોંચી હતી. બાદમાં મિલ માલિકના પરિવારના પાંચ સભ્‍યોનું રેસ્‍ક્‍યુ કરી એમને બહાર લાવવામાં આવ્‍યા હતા. ભીષણ લાગેલ આગને ઓલવવા સેલવાસ, ખાનવેલ, સરીગામ તથા વાપીથી બંબાઓ બોલાવવામાં આવ્‍યા હતા. આગે એવું વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા.

Related posts

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

દાનહ અને મહારાષ્‍ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્‍કેલનો ભૂકંપ : સેલવાસનું નરોલી એપિસેન્‍ટર

vartmanpravah

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

Leave a Comment