September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્‍ત કામ કરવા કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ ેનેટવર્ક) સેલવાસ, તા.12
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં નિર્માણાધીન સ્‍થળોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ અને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરોને સ્‍થળ પર જ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સેલવાસની મુલાકાતે ગયા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે નરોલી ચેકપોસ્‍ટ, ડોકમરડીમાં સ્‍માર્ટ સીટી રોડના સૈંપલ સાઈટ, મેડિકલ કોલેજ, ખાનવેલ ખાતે પ્રસ્‍તાવિત આઈટીઆઈ તથા ખાનવેલ શાળાના ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું. નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્‍ત કામ કરવા જણાવ્‍યું હતું. દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનની સંપૂર્ણ ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

નવસારી જિલ્લાકક્ષાના ૭પમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના ગાંધીમેદાન ખાતે હર્ષોલ્લાસભેર કરાઈ

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

Leave a Comment