March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્‍ત કામ કરવા કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ ેનેટવર્ક) સેલવાસ, તા.12
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં નિર્માણાધીન સ્‍થળોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ અને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરોને સ્‍થળ પર જ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સેલવાસની મુલાકાતે ગયા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે નરોલી ચેકપોસ્‍ટ, ડોકમરડીમાં સ્‍માર્ટ સીટી રોડના સૈંપલ સાઈટ, મેડિકલ કોલેજ, ખાનવેલ ખાતે પ્રસ્‍તાવિત આઈટીઆઈ તથા ખાનવેલ શાળાના ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું. નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્‍ત કામ કરવા જણાવ્‍યું હતું. દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનની સંપૂર્ણ ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના ભામટી ગામ ખાતે યોજાઈ ચૌપાલ: નીતિ-નિયમોના પાલનની બાબતોમાં ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન

vartmanpravah

Leave a Comment