નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્ત કામ કરવા કરેલું સૂચન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ ેનેટવર્ક) સેલવાસ, તા.12
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં નિર્માણાધીન સ્થળોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરોને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સેલવાસની મુલાકાતે ગયા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે નરોલી ચેકપોસ્ટ, ડોકમરડીમાં સ્માર્ટ સીટી રોડના સૈંપલ સાઈટ, મેડિકલ કોલેજ, ખાનવેલ ખાતે પ્રસ્તાવિત આઈટીઆઈ તથા ખાનવેલ શાળાના ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું. નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્ત કામ કરવા જણાવ્યું હતું. દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી.