Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વ તૈયારી

(…ગતાંકથી ચાલુ)
જાન્‍યુઆરી 1951માં શ્રી બાબાસાહેબ પુરંદરે સાથે મળીને દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામનો સંકલ્‍પ થયા પછી ઈ.સ. 1954માં સફળતાપૂર્વક સંપન્ન થયેલા આ સંગ્રામની વિધિવત્‌ શરૂઆત તો મુખ્‍ય કાર્યવાહીના 6 થી 8 મહિના પૂર્વે થઈ હતી. જાન્‍યુઆરી 1954માં સાંગલીના શ્રી વિષ્‍ણુપંત માઇણકરે સાંગલીના જ એક અન્‍ય સ્‍વયંસેવક શ્રી ત્ર્યંબક ભટ્ટની મુલાકાત શ્રી રાજા વાકણકર સાથે કરાવી હતી. સમાન વિચારસરણી ધરાવતા આ બંને કાર્યકર્તાઓની તે દરમિયાન થયેલી પ્રદીર્ઘ વાતચીતમાં દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામ યોજનાનો પાયો રચાયો.
શ્રી ત્ર્યંબક ભટ્ટ અને વાકણકરની પ્રથમ બેઠક પછી આ યોજનાનો સમગ્રપણે વિચાર કરવા માટે આઝાદ ગોમાંતક દળનું નેતૃત્‍વ કરનારા શ્રી વિશ્વનાથ લવંદે અને આપ્‍પા કરમળકર સાથે અવારનવાર બેઠકો થતી રહી. આ યોજનાના અતિ મહત્ત્વના સાથદાર બની રહેનારા પ્રસિદ્ધ પાર્શ્વગાયક શ્રી સુધીર ફડકેના પુણે અને મુંબઈનાં નિવાસસ્‍થાનો આ પ્રવૃત્તિનાં કેન્‍દ્રો બન્‍યાં હતાં. આવી અનેક બેઠકોઅને વિચાર વિનિમયને અંતે પ્રથમ મળે તેટલાં સાધનોની મદદથી ચાર ગામોનો પ્રદેશ દાદરા મુક્‍ત કરવો, ત્‍યાંથી જે શષા સામગ્રી મળે તેની મદદથી 70 ગામોનો પ્રદેશ નગરહવેલી મુક્‍ત કરવો, ત્રીજા ચરણમાં દમણ, પછી દીવ અને છેવટે સર્વ શક્‍તિ ગોવા મુક્‍તિ માટે સંકલતિ કરવી એવી સાધારણ યોજના બની.
તે પછી માર્ચ 1954માં વિવિધ પંથ અને વિચારસરણી ધરાવતા કાર્યકર્તાઓની બેઠક મુંબઈમાં તે સમયે એશિયાટિક પુસ્‍તકાલય પાસે આવેલા એક બાગમાં થઈ. તેમાં ભારતીય જનસંઘના તે સમયના અધ્‍યક્ષ શ્રી મધુકર મહાજન, વિશ્વનાથ લવંદે, શામરાવ લાડ, રાજા વાકણકર, આપ્‍પા કરમળકર, સુધીર ફડકે અને ત્ર્યંબક ભટ્ટ પણ ઉપસ્‍થિત હતા.

(ક્રમશઃ)

Related posts

વાપી પાલિકા દ્વારા ફાયર સિસ્‍ટમ ચેકિંગ અભિયાન બીયુ પરમીશન ન હોવાથી 5 ખાનગી સ્‍કૂલ સીલ કરી

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામની જગ્‍યા બાબતે બે જૂથો સામસામે આવી જતા ખુરશીઓ ઉછળતા ભારે હોબાળો મચ્‍યો

vartmanpravah

વાપી ટાઉન પોલીસે ટુ-વ્‍હીલર ચોરતી-ખરીદતી ગેંગના છ આરોપી ઝડપી 3 વાહનો કબ્‍જે કર્યા

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

પોતાના રાજાશાહી શોખને લઈ જાન ગુમાવતો મોટા વાઘછીપાનો આધેડ

vartmanpravah

Leave a Comment