October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વ તૈયારી

(…ગતાંકથી ચાલુ)
જાન્‍યુઆરી 1951માં શ્રી બાબાસાહેબ પુરંદરે સાથે મળીને દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામનો સંકલ્‍પ થયા પછી ઈ.સ. 1954માં સફળતાપૂર્વક સંપન્ન થયેલા આ સંગ્રામની વિધિવત્‌ શરૂઆત તો મુખ્‍ય કાર્યવાહીના 6 થી 8 મહિના પૂર્વે થઈ હતી. જાન્‍યુઆરી 1954માં સાંગલીના શ્રી વિષ્‍ણુપંત માઇણકરે સાંગલીના જ એક અન્‍ય સ્‍વયંસેવક શ્રી ત્ર્યંબક ભટ્ટની મુલાકાત શ્રી રાજા વાકણકર સાથે કરાવી હતી. સમાન વિચારસરણી ધરાવતા આ બંને કાર્યકર્તાઓની તે દરમિયાન થયેલી પ્રદીર્ઘ વાતચીતમાં દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામ યોજનાનો પાયો રચાયો.
શ્રી ત્ર્યંબક ભટ્ટ અને વાકણકરની પ્રથમ બેઠક પછી આ યોજનાનો સમગ્રપણે વિચાર કરવા માટે આઝાદ ગોમાંતક દળનું નેતૃત્‍વ કરનારા શ્રી વિશ્વનાથ લવંદે અને આપ્‍પા કરમળકર સાથે અવારનવાર બેઠકો થતી રહી. આ યોજનાના અતિ મહત્ત્વના સાથદાર બની રહેનારા પ્રસિદ્ધ પાર્શ્વગાયક શ્રી સુધીર ફડકેના પુણે અને મુંબઈનાં નિવાસસ્‍થાનો આ પ્રવૃત્તિનાં કેન્‍દ્રો બન્‍યાં હતાં. આવી અનેક બેઠકોઅને વિચાર વિનિમયને અંતે પ્રથમ મળે તેટલાં સાધનોની મદદથી ચાર ગામોનો પ્રદેશ દાદરા મુક્‍ત કરવો, ત્‍યાંથી જે શષા સામગ્રી મળે તેની મદદથી 70 ગામોનો પ્રદેશ નગરહવેલી મુક્‍ત કરવો, ત્રીજા ચરણમાં દમણ, પછી દીવ અને છેવટે સર્વ શક્‍તિ ગોવા મુક્‍તિ માટે સંકલતિ કરવી એવી સાધારણ યોજના બની.
તે પછી માર્ચ 1954માં વિવિધ પંથ અને વિચારસરણી ધરાવતા કાર્યકર્તાઓની બેઠક મુંબઈમાં તે સમયે એશિયાટિક પુસ્‍તકાલય પાસે આવેલા એક બાગમાં થઈ. તેમાં ભારતીય જનસંઘના તે સમયના અધ્‍યક્ષ શ્રી મધુકર મહાજન, વિશ્વનાથ લવંદે, શામરાવ લાડ, રાજા વાકણકર, આપ્‍પા કરમળકર, સુધીર ફડકે અને ત્ર્યંબક ભટ્ટ પણ ઉપસ્‍થિત હતા.

(ક્રમશઃ)

Related posts

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સુંઠવાડ પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડી અન્‍ય એકને વોન્‍ટેડ જાહેર કર્યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યોઃ મધુબન ડેમના છ દરવાજા અડધો મીટર ખોલાયા

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

પારડીના બી માર્ટની દુકાનમાં ધામણ પ્રજાતિનો સાપ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment