December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

નવસારીઃતા.18

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયનો ૨૮ મો આદિજાતિ મહોત્સવ-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે.

૨૮ મો આદિજાતિ મહોત્સવ તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ ગાંધી મેદાન, વાંસદા ખાતે સાંજે ૫-૦૦ કલાકે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા રાજયમંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, વલસાડ સાંસદ ડો. કે.સી.પટેલ, જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, વાંસદા ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. તેમ નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

Related posts

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી

vartmanpravah

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

Leave a Comment