Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: આજે ગણેશ મહોત્‍સવના છેલ્લા દિવસે એટલે કે અનંત ચૌદશનાદિવસે દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા તથા વિવિધ વિસ્‍તારમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું ખુબ જ રંગેચંગે ઢોલ, નગારા, લેઝિમના તાલે નાચગાન સાથે દમણગંગા નદી કિનારે ભક્‍તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્‍યું હતું. સેલવાસના પીપરીયા વિસ્‍તારના પીપરીયાના રાજા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંડળમાં મહારાષ્ટ્રથી વિસર્જન માટે ટીમ બોલાવવામાં આવી હતાી. સાથે સેલવાસના વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં અલગ અલગ વેશભૂષા અને શાજ-શણગાર કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દાનહ પોલીસ દ્વારા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ-અગવડ નહીં પડે એના માટે ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. આ અવસરે વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગણેશ ભક્‍તો માટે રસ્‍તા પર ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સાથે મેડીકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ ખડે પગે હાજર રહી હતી. આજે અંદાજે 400 જેટલી ગણેશ મૂર્તિઓનુ વિસર્જન દમણગંગાનદી કિનારે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

vartmanpravah

…તો ગ્રામ પંચાયતના સરપંચો જ હોળીના નારિયેળ બનશે

vartmanpravah

Leave a Comment