August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

ફોજદાર રોઝેરિયો ગામલોકોને ગભરાવાનું કોઈ કારણ નથી એમ કહેતો હતો પરંતુ તે પોતે તો ગભરાયેલો જ હતો. ગામલોકોમાં બહારના ચાર-પાંચ લોકો ભળી ગયા છે અને તેમનું વર્તન શંકાસ્‍પદ છે એવી આશંકા થતાં જ તે પોલીસચોકીની દિશામાં ઝડપથી ભાગ્‍યો. તેને ભાગતો જોઈને ગામલોકોમાં પણ દોડાદોડ થઈ ગઈ

(…ગતાંકથી ચાલુ)
લગભગ પંદરેક જણાની ટુકડી બીજી રાત્રે દાદરા ચોકી સુધી પહોંચી ત્‍યારે ત્‍યાંનો ફોઝદાર રોઝેરિયો ગામ લોકોને ભેગાં કરીને હુમલો થાય ત્‍યારે શું કરવું, બચાવ કેવી રીતે કરવો તથા પ્રતિકાર કઈ રીતે કરવો તેની સૂચના આપતો હતો, તે તેમણે જોયું. એ લોકો પેટે ઘસડાતા કે ચાર પગે ચાલતા જરાપણ અવાજ ન થાય એ રીતે તે ટોળાની નજીક પહોંચ્‍યા. તેમાંથી ચાર-પાંચ જણા ગામલોકોની વચ્‍ચે જઈને બેસી ગયા અને બાકીના લોકોએ પાછળથી જઈને ચોકીને ઘેરી લીધી.
ફોજદાર રોઝેરિયો ગામલોકોને ગભરાવાનું કોઈ કારણ નથી એમ કહેતો હતો પરંતુ તે પોતે તો ગભરાયેલો જ હતો. ગામલોકોમાં બહારના ચાર-પાંચ લોકો ભળી ગયા છે અને તેમનું વર્તન શંકાસ્‍પદ છે એવી આશંકા થતાં જ તે પોલીસચોકીની દિશામાં ઝડપથી ભાગ્‍યો. તેને ભાગતો જોઈને ગામલોકોમાં પણ દોડાદોડ થઈગઈ. આ નાસભાગમાં કોઈનેય શું કરવું જોઈએ તે સૂઝતું ન હતું. ચોકીમાં જઈને રોઝેરિયોએ રાયફલ હાથમાં તો લીધી પરંતુ દુશ્‍મનની સામે તેનો ઉપયોગ કરવાને બદલે તે રાયફલ સહિત ક્‍યાંક સંતાવાની જગ્‍યા શોધવા લાગ્‍યો. દરમિયાન વામન દેસાઈના માણસોએ તેને ઘેરી લીધો હતો. તેમાંથી એક જણે તેને છરો ભોંકતાં પડતાં પડતાં તેણે રાયફલમાંથી ગોળીબાર કર્યો પણ તે હવામાં જ રહ્યો. ચોકી પર બીજા બે સિપાઈ હતા તે પણ રાયફલ લઈને નાસી જતાં પકડાઈ ગયા. આ રીતે સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું. આ સમાચાર 23 જુલાઈના અખબારો દ્વારા આખા દેશમાં પહોંચી ગયા.

(ક્રમશઃ)

Related posts

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્‍વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્‍ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ

vartmanpravah

વલસાડ સાંઈલીલા મોલમાં કુટણ ખાનું ચલાવતો વોન્‍ટેડ આરોપી ચાર વર્ષે ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

સરીગામ જીઆઇડીસીની માળખાકીય સુવિધામાં થનારો અદ્યતન સુધારોઃ અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇન બાદ સીઈટીપીની દરિયા સુધી પાઈપલાઈન નાખવા મળનારી 70 ટકા સહાય

vartmanpravah

ભાજપના સભ્‍ય નોંધણી અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલે 1000 કરતા વધુ સભ્‍યોની કરેલી નોંધણી

vartmanpravah

Leave a Comment