Vartman Pravah
Breaking Newsગુજરાતદમણવલસાડવાપી

કલાકાર પોતાના સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ બરદાસ્‍ત નહી કરે : કરન જાદુગર

જાદુની દુનિયામાં ગૌરવપ્રદ નામ રોશન કરી ભારતની પ્રાચીન કલાને જીવંત રાખી રહેલા કરન જાદુગર સાથે ‘વર્તમાન પ્રવાહ’એ કરેલો વાર્તાલાપ

દુનિયામાં તંત્ર, મંત્ર, મેલી વિદ્યા, ભૂતભૂવા, ચુડેલ, ડાકણ જેવી કોઈ વસ્‍તુ નથી અને જેઓ કહે છે તેઓ ઢોંગી અને ધુતારા હોય છે જાદુ એકમાત્ર તરકીબ છે : કરન જાદુગર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.19
જાદુની દુનિયામાં પોતાનું ગૌરવપ્રદ નામ રોશન કરી ભારતની પ્રાચીન કલાને જીવંત સ્‍વરૂપ આપી રહેલા હિંમતનગરના શ્રી કરન જાદુગરે દેશના 16 રાજ્‍યોમાં પોતાના 20 હજારથી વધુ શો કર્યા છે. જાદુની દુનિયામાં 36 વર્ષનો અનુભવ ધરાવતા શ્રી કરન જાદુગર છેલ્લા 27 વર્ષથી જાદુના શો કરી લોકોને મનોરંજન પિરસી રહ્યા છે.
આજે ‘વર્તમાન પ્રવાહ’એ ગુજરાતના ગૌરવ એવા શ્રી કરન જાદુગર સાથે વાતચીત કરવાનો લ્‍હાવો લીધો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, જાદુ કળા એ પ્રાચીન કળા હોવાની સાથે હવે લુપ્ત થતી કળા છે. સરકાર તરફથી જાદુની કળાને પ્રોત્‍સાહન આપવા માટે કોઈ સહાય મળી નથી. પરંતુ ભારત સરકારે જાદુ કળાને જીએસટી કે મનોરંજન કરના દાયરામાં નહી લઈ મોટી સહાય કરી છે.
શ્રી કરણ જાદુગરે વધુમાં જણાવ્‍યું હતું કે, મોબાઈલના જમાનામા પણ જાદુને લોકો લાઈક કરે છે. પરિવારના નાના-મોટા દરેક માટે જાદુ સરસ અને સ્‍વસ્‍થ મનોરંજન પુરુ પાડે છે.
શ્રી કરન જાદુગરે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દુનિયામાં તંત્ર, મંત્ર, મેલી વિદ્યા, ભૂતભૂવા, ચુડેલ, ડાકણ જેવી કોઈ વસ્‍તુ નથી અને જેઓ કહે છે તેઓ ઢોંગી અને ધુતારા હોય છે. જાદુ એકમાત્ર તરકીબ છે.
શ્રી કરન જાદુગરે કોરોનાના લોકડાઉનના કપરાકાળમાં કલાકારોની થયેલી દયનીયહાલતનો પણ સંવેદનશીલતા સાથે ચિતાર આપ્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, દરેક કલાકારને પોતાનું એક સ્‍વાભિમાન હોય છે અને સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ તેઓ બરદાસ્‍ત કરતા નથી.

 

Related posts

વાપીના હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડુંગરાના અંબામાતા મંદિરમાં હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે કરવામાં આવેલી સ્‍થાપના

vartmanpravah

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્‍તારમાં ચોમાસા પહેલાં જ ખાબકેલો વરસાદઃ કેરીના પાકને વ્‍યાપકનુકસાનઃ ખેડૂતોમાં ચિંતા

vartmanpravah

Leave a Comment