September 14, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘના દિવંગત અધ્‍યક્ષ અનિલભાઈ પટેલે શરૂ કરેલા અભિયાનને તેમના ધર્મપત્‍ની અરૂણાબેન પટેલના સહયોગથી રર નવદંપતિઓએ પાડેલા પ્રભૂતામાં પગલાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન મહાદેવ મંદિર પરિસર ખાતે આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્‍યુ હતું. સ્‍વર્ગીય શ્રી અનિલભાઈ પટેલ દ્વારા સ્‍થાપિત સંઘ દ્વારા એમના ધર્મપત્‍ની અરુણાબેન પટેલના નેતળત્‍વમાં સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા 22 નવદંપતીઓ જોડાયા હતા. બ્રાહ્મણોની ઉપસ્‍થિતિમા વિધિવિધાન સાથે લગ્નનું આયોજન કરવામા આવ્‍યુ હતું. આ સમૂહ લગ્નમાં હિન્‍દુ મુસ્‍લિમ એકતાની મિશાલ પણ જોવા મળ્‍યો હતો અલ્‍તાફ શેખ અને નિશા ગુપ્તાએ પણ લગ્ન કર્યા હતા.
આ સમૂહ લગ્નમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી રાજકુમાર દહિયા, શ્રી નારણભાઈ ઠક્કર, શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી રમેશભાઈ કડુ, શ્રીમુકેશભાઈ પટેલ, પ્રમિલાબેન, દેવેન્‍દ્રભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓના હસ્‍તે નવદંપતીઓને કન્‍યાદાન આપવામા આવ્‍યું હતું.

Related posts

નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી.નેનો-1 યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની જિ.પં. સભ્‍ય રીનાબેન સાથે લીધેલો આરતીનો લ્‍હાવો

vartmanpravah

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

નેશનલ મેથ્‍સ ઓલિમ્‍પિયાડમાં સલવાવ ગુરુકુળની વિદ્યાર્થીની એકાંક્ષી રાય વિનર બની

vartmanpravah

ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કેન્‍સર જાગૃતિ દિવસ નિમિત્તે દાનહમાં રક્‍તદાન શિબિર શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment