રીનાબેન અને હરિશભાઈ પટેલની બેલડીએ પ્રદેશની સુખાકારી અને કલ્યાણની કામના કરવા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશના થયેલા સકારાત્મક પરિવર્તનની આપેલી માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી. નેનો વન યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિમહોત્સવમાં આજે પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્ની દમણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રીનાબેન પટેલ સાથે આરતી લ્હાવો લીધો હતો.
આ કાર્યક્રમમાં શ્રી હરિશભાઈ પટેલ અને શ્રીમતી રીનાબેન પટેલે પ્રદેશની સુખાકારી અને કલ્યાણ માટે કામના કરી હતી તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં થયેલા અનેક સકારાત્મક પરિવર્તનની પણ માહિતી આપી હતી.