આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘના દિવંગત અધ્યક્ષ અનિલભાઈ પટેલે શરૂ કરેલા અભિયાનને તેમના ધર્મપત્ની અરૂણાબેન પટેલના સહયોગથી રર નવદંપતિઓએ પાડેલા પ્રભૂતામાં પગલાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના બિન્દ્રાબિન મહાદેવ મંદિર પરિસર ખાતે આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્યુ હતું. સ્વર્ગીય શ્રી અનિલભાઈ પટેલ દ્વારા સ્થાપિત સંઘ દ્વારા એમના ધર્મપત્ની અરુણાબેન પટેલના નેતળત્વમાં સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા 22 નવદંપતીઓ જોડાયા હતા. બ્રાહ્મણોની ઉપસ્થિતિમા વિધિવિધાન સાથે લગ્નનું આયોજન કરવામા આવ્યુ હતું. આ સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ એકતાની મિશાલ પણ જોવા મળ્યો હતો અલ્તાફ શેખ અને નિશા ગુપ્તાએ પણ લગ્ન કર્યા હતા.
આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી રાજકુમાર દહિયા, શ્રી નારણભાઈ ઠક્કર, શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી રમેશભાઈ કડુ, શ્રીમુકેશભાઈ પટેલ, પ્રમિલાબેન, દેવેન્દ્રભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓના હસ્તે નવદંપતીઓને કન્યાદાન આપવામા આવ્યું હતું.