June 13, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘના દિવંગત અધ્‍યક્ષ અનિલભાઈ પટેલે શરૂ કરેલા અભિયાનને તેમના ધર્મપત્‍ની અરૂણાબેન પટેલના સહયોગથી રર નવદંપતિઓએ પાડેલા પ્રભૂતામાં પગલાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન મહાદેવ મંદિર પરિસર ખાતે આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્‍યુ હતું. સ્‍વર્ગીય શ્રી અનિલભાઈ પટેલ દ્વારા સ્‍થાપિત સંઘ દ્વારા એમના ધર્મપત્‍ની અરુણાબેન પટેલના નેતળત્‍વમાં સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા 22 નવદંપતીઓ જોડાયા હતા. બ્રાહ્મણોની ઉપસ્‍થિતિમા વિધિવિધાન સાથે લગ્નનું આયોજન કરવામા આવ્‍યુ હતું. આ સમૂહ લગ્નમાં હિન્‍દુ મુસ્‍લિમ એકતાની મિશાલ પણ જોવા મળ્‍યો હતો અલ્‍તાફ શેખ અને નિશા ગુપ્તાએ પણ લગ્ન કર્યા હતા.
આ સમૂહ લગ્નમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી રાજકુમાર દહિયા, શ્રી નારણભાઈ ઠક્કર, શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી રમેશભાઈ કડુ, શ્રીમુકેશભાઈ પટેલ, પ્રમિલાબેન, દેવેન્‍દ્રભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓના હસ્‍તે નવદંપતીઓને કન્‍યાદાન આપવામા આવ્‍યું હતું.

Related posts

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

Leave a Comment