Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘના દિવંગત અધ્‍યક્ષ અનિલભાઈ પટેલે શરૂ કરેલા અભિયાનને તેમના ધર્મપત્‍ની અરૂણાબેન પટેલના સહયોગથી રર નવદંપતિઓએ પાડેલા પ્રભૂતામાં પગલાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન મહાદેવ મંદિર પરિસર ખાતે આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્‍યુ હતું. સ્‍વર્ગીય શ્રી અનિલભાઈ પટેલ દ્વારા સ્‍થાપિત સંઘ દ્વારા એમના ધર્મપત્‍ની અરુણાબેન પટેલના નેતળત્‍વમાં સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા 22 નવદંપતીઓ જોડાયા હતા. બ્રાહ્મણોની ઉપસ્‍થિતિમા વિધિવિધાન સાથે લગ્નનું આયોજન કરવામા આવ્‍યુ હતું. આ સમૂહ લગ્નમાં હિન્‍દુ મુસ્‍લિમ એકતાની મિશાલ પણ જોવા મળ્‍યો હતો અલ્‍તાફ શેખ અને નિશા ગુપ્તાએ પણ લગ્ન કર્યા હતા.
આ સમૂહ લગ્નમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી રાજકુમાર દહિયા, શ્રી નારણભાઈ ઠક્કર, શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી રમેશભાઈ કડુ, શ્રીમુકેશભાઈ પટેલ, પ્રમિલાબેન, દેવેન્‍દ્રભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓના હસ્‍તે નવદંપતીઓને કન્‍યાદાન આપવામા આવ્‍યું હતું.

Related posts

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

vartmanpravah

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ

vartmanpravah

Leave a Comment