March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: સરીગામ પંચાયત કચેરીના સંયોજક સદન ભવન ખાતે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી દવેના અધ્‍યક્ષતા હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાજ્‍યના ગૃહ વિભાગે વ્‍યાજખોરોને ડામવા માટે ચાલુ કરેલા અભિયાન અને નજીકના ઉત્તરાયણના તહેવારને ધ્‍યાનમાં રાખી ચાઈનીઝ દોરા અને તુક્કલ જેવી આઈટમના વેચાણ અને વપરાશ પર મૂકવામાં આવેલા પ્રતિબંધથી માહિતગાર કરવાના મુદ્દે લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યુંછે. એવી માહિતી લોક દરબારના પ્રારંભમાં અધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્‍થિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી દવે ઉપસ્‍થિત આગેવાનોને આપી હતી. સરીગામ તેમજ આજુબાજુના વિસ્‍તારમાં વ્‍યાજખોરો અને પઠાણી ઉઘરાણીની સમસ્‍યા જગ જાહેર છે છતાં પણ આજના લોક દરબારમાં જનતાના પ્રતિનિધિઓ રજૂઆત કરવામાં નિષ્‍ફળ ગયા હતા. વગર રજૂઆતે પૂર્ણ થયેલા લોક દરબારમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે અનુમાન લગાવતા જણાવ્‍યું હતું કે ફરિયાદી સામે આવતા ડરી રહ્યો છે. જો એવું હોય તો એમના મોબાઈલ નંબર ઉપર ફરિયાદ કરવા જણાવ્‍યું હતું અને એમને પોતાનો નંબર તેમજ પીએસઆઈ અને પોલીસ મથકનો નંબર જાહેર કર્યો હતો. આ સાથે ફરિયાદીની રજૂઆતને પ્રાધાન્‍ય આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ફરિયાદીને રક્ષણ પણ આપવામાં આવશે એવું જણાવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્‍ચે સેન્‍ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત

vartmanpravah

કાપડી સમાજ દ્વારાબે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં મોટી દમણની કોન્‍વેન્‍ટ સ્‍કૂલ (આઈ.ઓ.એલ.એફ)માં ધો.10મા શર્વરી કૌસ્‍તુભ આરેકર પ્રથમ

vartmanpravah

Leave a Comment