Vartman Pravah
Breaking Newsદમણદેશ

મોટી દમણના ભામટી ખાતે સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં કરાયેલી બેઠક

સ્‍ટેટ ડેઝિગ્નેટેડએજન્‍સીના કન્‍સલટન્‍ટ ચંદ્રેશભાઈ પટેલે વિદ્યુતના વપરાશમાં કરકસરની સમજાવેલી યુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.31
ભામટી પ્રગતિ મંડળના કોમ્‍યુનિટિ હોલ ખાતે આજે સ્‍ટેટ ડેઝીગ્નેટેડ એજન્‍સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં એક જનજાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સ્‍ટેટ ડેઝીગ્નેટેડ એજન્‍સીના કન્‍સલટન્‍ટ શ્રી ચંદ્રેશભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં પાણી, બળતણ તથા વિદ્યુતના વપરાશમાં કરાનારી કરકસરના સંદર્ભમાં વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ઘરમાં પાણીનો દુરૂપયોગ નહીં થાય તેની તકેદારી રાખવી જોઈએ અને વરસાદના પાણીના સંગ્રહ માટે રેઈન હાર્વેસ્‍ટિંગ ઉપર પણ પ્રકાશ પાડયો હતો.
શ્રી ચંદ્રેશભાઈ પટેલે ઊર્જાના વિવિધસ્ત્રોતોની માહિતી આપી વિદ્યુતના વપરાશમાં બચત કરવાની યુક્‍તિ પણ સમજાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, નાની સરખી ટેવથી ઘણાં યુનિટોની બચત થઈ શકે છે. તેમણે ટી.વી.ની સ્‍વીચ જ્‍યારે વપરાશ નહીં હોય ત્‍યારે બંધ રાખવા, રૂમમાંથી બહાર જતાં સમયે પંખો બંધ કરવો, એ.સી.નું ટેમ્‍પરેચર 24 ફેરનહીટ ઉપર સેટ કરવા જેવી અનેક તરકિબો બતાવી હતી.
શ્રી ચંદ્રેશભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતના વિવિધ ફળિયા અને વોર્ડમાં પણ ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં બેઠકો કરવાપોતાની તત્‍પરતા દર્શાવી હતી. આ પ્રસંગે વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ દમણિયાએ ઊર્જાનો બચાવ શા માટે જરૂરી છે તે અંગે વિસ્‍તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આભાર વિધિ અને ભામટી પ્રગતિ મંડળના મહામંત્રી શ્રી જેસલ પરમારે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સીના શ્રી ભરતભાઈ બામણિયા, શ્રી તુષારભાઈ પટેલ, શ્રી બ્રિજેશ સહિત ગ્રામવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં દમણવાડા ગ્રા.પં. અંતર્ગત ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ દ્વારા નિર્મિત મશરૂમની ખેતીનું અધિકારીઓએ કરેલું નિરીક્ષણ

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

વાપીની લીફ ધ વેગ્રો સ્‍કૂલમાં આયોજીત વેશભૂષા સ્‍પર્ધામાં દમણની બે બાળકીઓએ કરેલા માઁ પાર્વતી અને મહાકાળીના વેશ પરિધાને લોકોનું આકર્ષિત કરેલું ધ્‍યાન

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

Leave a Comment