April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

રવિવારે દાનહમાં 9, દમણમાં 10 અને દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ-દમણ-દીવ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 9 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્‍યારે દમણમાં 10 જ્‍યારે દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હોવાની માહિતી મળી છે. પ્રદેશમાં પોઝિટિવ કેસોની સંખ્‍યા વધતી જઈ રહી છે જે ચિંતાની બાબત છે.
દાદરા નગર હવેલીમાં હાલમાં 26 સક્રિય કેસ છે, જ્‍યારે દમણમાં 55 કેસ સક્રિય છે. દાનહમાં અત્‍યાર સુધીમાં 5927 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. આજે જિલ્લામાં આરટીપીસીઆરના 509 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 9 વ્‍યક્‍તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતા અને રેપિડ અન્‍ટિજનના 105 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી 0 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. કુલ 9 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. દાનહમાં 9 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. જ્‍યારે આજે 5 દર્દી રિક્‍વર થતા તેમને ઘરે જવા હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા હતા.
સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરો ખાતે કોરોના વેક્‍સિનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ ખાતે આજે 95લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. દાનહ જિલ્લામાં પ્રથમ ડોઝ 429921 અને બીજો ડોઝ 297712 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. કુલ 727633 લોકોને રસી આપવામાં આવી છે.
આજે દમણ જિલ્લામાં 434 જેટલા કોવિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાં 10 પોઝિટિવ આવ્‍યા હતા અને હજુ 55 જેટલા સક્રિય કેસ છે અને જુના ઘર મોટી દમણ ખાતે એક કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યો છે. દમણ જિલ્લામાં કુલ 18 કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન કાર્યરત છે. જેમાં દાભેલમાં 11, દુણેઠામાં 4, નાની દમણ નગરપાલિકા વિસ્‍તારમાં 2 અને મોટી દમણ પાલિકા વિસ્‍તારમાં 1 ઝોન કાર્યરત છે.

Related posts

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણ ન.પા.ના કાઉન્‍સિલર ચંદ્રગીરી ઈશ્વરની સંવેદનશીલપહેલથી લાચાર વૃદ્ધાનો સહારો બનેલું આયુષ્‍યમાન કાર્ડઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબલક્ષી નીતિથી દેશની ઓર એક વૃદ્ધાને મળેલું સ્‍વાવલંબી નવજીવન

vartmanpravah

Leave a Comment