Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

રવિવારે દાનહમાં 9, દમણમાં 10 અને દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ-દમણ-દીવ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 9 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્‍યારે દમણમાં 10 જ્‍યારે દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હોવાની માહિતી મળી છે. પ્રદેશમાં પોઝિટિવ કેસોની સંખ્‍યા વધતી જઈ રહી છે જે ચિંતાની બાબત છે.
દાદરા નગર હવેલીમાં હાલમાં 26 સક્રિય કેસ છે, જ્‍યારે દમણમાં 55 કેસ સક્રિય છે. દાનહમાં અત્‍યાર સુધીમાં 5927 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. આજે જિલ્લામાં આરટીપીસીઆરના 509 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 9 વ્‍યક્‍તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતા અને રેપિડ અન્‍ટિજનના 105 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી 0 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. કુલ 9 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. દાનહમાં 9 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. જ્‍યારે આજે 5 દર્દી રિક્‍વર થતા તેમને ઘરે જવા હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા હતા.
સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરો ખાતે કોરોના વેક્‍સિનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ ખાતે આજે 95લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. દાનહ જિલ્લામાં પ્રથમ ડોઝ 429921 અને બીજો ડોઝ 297712 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. કુલ 727633 લોકોને રસી આપવામાં આવી છે.
આજે દમણ જિલ્લામાં 434 જેટલા કોવિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાં 10 પોઝિટિવ આવ્‍યા હતા અને હજુ 55 જેટલા સક્રિય કેસ છે અને જુના ઘર મોટી દમણ ખાતે એક કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યો છે. દમણ જિલ્લામાં કુલ 18 કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન કાર્યરત છે. જેમાં દાભેલમાં 11, દુણેઠામાં 4, નાની દમણ નગરપાલિકા વિસ્‍તારમાં 2 અને મોટી દમણ પાલિકા વિસ્‍તારમાં 1 ઝોન કાર્યરત છે.

Related posts

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

vartmanpravah

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

vartmanpravah

Leave a Comment