January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.31
દાદરા નગર હવેલી કલેકટર કચેરીના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદના ખેરડી પંચાયત વિસ્‍તારમાં મહેસૂલ વિભાગની સેવાઓ આપવા માટે 04 જૂનને શનિવારના રોજ કેન્‍દ્ર શાળા ખેરડી ખાતે સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાન શિબિરનું આયોજન કરવામા આવશે. જેમાં ખાનવેલ મામલતદાર વિભાગ દ્વારા વારસાઈ, આવકનો દાખલો, જાતિ અને ડોમીસાઈલ અને આધારકાર્ડ માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવશે. સર્વે અને બંદોબસ્‍ત વિભાગ દ્વારા માપણી માટેની અરજી, નકશાની નકલ, સ્‍પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ કરવા માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. લગ્ન નોંધણી માટેની અરજીઓ ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા રાશનકાર્ડ માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવશે. દાનહ ડીડી એસસી/એસટી/ઓબીસી અને માયનોરીટી ફાઇનાન્‍સ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પશુ ખરીદી માટે અને ટર્મ લોન માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. જિલ્લા પંચાયત દ્વારા વિધવા પેન્‍સન અને આરટીઓ દ્વારાડ્રાઈવીંગ લાયસન્‍સ અને અન્‍ય અરજીઓ સ્‍વીકારવામાં આવશે. આ શિબિરનો મોટી સંખ્‍યામાં લાભ લેવા માટે વિભાગ દ્વારા નિવેદન કરવામા આવ્‍યું છે.

Related posts

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

Leave a Comment