Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01
ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી જમાલ સિદ્દીકીજીના આદેશ મુજબ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દિપેશ ટંડેલના માર્ગદર્શન હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીની દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ લઘુમતી મોરચાની બેઠકનું આયોજન પ્રદેશ મોર્ચાના પ્રમુખ શ્રી શૌકતભાઈ મીઠાણીની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યું હતું. ભાજપ લઘુમતિ મોરચાના રાષ્ટ્રીયમંત્રી શ્રી સૈયદ ઈબ્રાહીમજીએ આ સભાને વર્ચ્‍યુઅલ રીતે સંબોધી હતી.
શ્રી સૈયદ ઈબ્રાહીમજીએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે કેન્‍દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર લઘુમતી મોરચો 6 જૂનથી 8 જૂન દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેમણે આ બાબતે ઉપસ્‍થિત કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યું હતું.
કેન્‍દ્રશાસિત પ્રદેશ 3ડીમાં પણ લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી શૌકતભાઈ મીઠાણીની આગેવાની હેઠળ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે અને આ સંદર્ભે રાષ્ટ્રીય મંત્રીને પણ માહિતી આપવામાં આવી હતી.
શ્રી સૈયદ ઈબ્રાહીમે રાજ્‍ય ભાજપના લઘુમતી મોરચાના કાર્યની પ્રશંસા કરી હતી અને શ્રી શોકતભાઈ મીણાણીના નેતૃત્‍વની પણ પ્રશંસા કરી અને મોરચાની પ્રવૃત્તિઓથી વાકેફ હોવા બદલ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.
આજની બેઠક બાદ મોરચાના અધિકારીઓ શ્રીમતી આબેદાબેન અને શ્રી જાવેદને તેમના જન્‍મદિવસ નિમિત્તે પુષ્‍પગુચ્‍છ આપીને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.
આજની બેઠકમાં લઘુમતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી શોકતભાઈ મીઠાણી, પ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણી ઉપરાંત લઘુમતી મોરચાના રાજ્‍ય પદાધિકારીઓ અને દમણ જિલ્લા લઘુમતી મોરચાના મુખ્‍ય પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

vartmanpravah

સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં આવેલ દુકાનમાં ચોરી અને અન્‍ફ બે ફલેટમાં ચોરીનો થયેલો પ્રયાસ

vartmanpravah

વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્‍યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment