December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર, છરવાડા, વાપીમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને ‘ગાંધી જયંતીની’ શુભકામના પાઠવી હતી. આછાર્ય ડો.રાજેશ્વરી, કાઉન્‍સિલર ભારતી બા જાડેજા, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્‍થિત રહ્યા હતા. વિદ્યાર્થી તેમજ શિક્ષક દ્વારા મહાત્‍મા ગાંધી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગાંધીજીનીવિચારસરણીને અનુલક્ષીને અહિંસા અને સ્‍વચ્‍છતાનો પાઠ વિદ્યાર્થીઓ શીખે એ માટે માર્ગદર્શન પૂラરું પાડવામાં આવ્‍યું હતું. તેમજ ‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા અને સંસ્‍કાર સ્‍વચ્‍છતા’ વિષય ઉપર સ્‍લોગનોની હરીફાઈ પણ કરવામાં આવી હતી. દેશ, સમાજમાં સ્‍વચ્‍છતા રહે તે માટે પ્રતિજ્ઞા પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી. સ્‍વચ્‍છતા કાર્યક્રમ હેઠળ શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા શાળાનાં પ્રાંગણમાં સ્‍વચ્‍છતા પણ કરવામાં આવી હતી. આમ, ગાંધી જયંતીની ઉજવણી શાળામાં હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી.

Related posts

પ્રદેશ ભાજપની સંગઠન ચૂંટણી અંતર્ગત દમણ અને દીવના ઓબ્‍ઝર્વર તરીકે દિગ્‍વિજયસિંહ પરમાર અને સેલવાસ શહેર, સેલવાસ ગ્રામીણ તથા ખાનવેલજિલ્લાના ઓબ્‍ઝર્વર તરીકે હરિશભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીના કિનારેથી નરોલી સ્‍મશાન ભૂમી તરફ જતો રસ્‍તો જર્જરિત

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

Leave a Comment