(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર, છરવાડા, વાપીમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને ‘ગાંધી જયંતીની’ શુભકામના પાઠવી હતી. આછાર્ય ડો.રાજેશ્વરી, કાઉન્સિલર ભારતી બા જાડેજા, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી તેમજ શિક્ષક દ્વારા મહાત્મા ગાંધી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગાંધીજીનીવિચારસરણીને અનુલક્ષીને અહિંસા અને સ્વચ્છતાનો પાઠ વિદ્યાર્થીઓ શીખે એ માટે માર્ગદર્શન પૂラરું પાડવામાં આવ્યું હતું. તેમજ ‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ વિષય ઉપર સ્લોગનોની હરીફાઈ પણ કરવામાં આવી હતી. દેશ, સમાજમાં સ્વચ્છતા રહે તે માટે પ્રતિજ્ઞા પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી. સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા શાળાનાં પ્રાંગણમાં સ્વચ્છતા પણ કરવામાં આવી હતી. આમ, ગાંધી જયંતીની ઉજવણી શાળામાં હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી.