October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર, છરવાડા, વાપીમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને ‘ગાંધી જયંતીની’ શુભકામના પાઠવી હતી. આછાર્ય ડો.રાજેશ્વરી, કાઉન્‍સિલર ભારતી બા જાડેજા, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્‍થિત રહ્યા હતા. વિદ્યાર્થી તેમજ શિક્ષક દ્વારા મહાત્‍મા ગાંધી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગાંધીજીનીવિચારસરણીને અનુલક્ષીને અહિંસા અને સ્‍વચ્‍છતાનો પાઠ વિદ્યાર્થીઓ શીખે એ માટે માર્ગદર્શન પૂラરું પાડવામાં આવ્‍યું હતું. તેમજ ‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા અને સંસ્‍કાર સ્‍વચ્‍છતા’ વિષય ઉપર સ્‍લોગનોની હરીફાઈ પણ કરવામાં આવી હતી. દેશ, સમાજમાં સ્‍વચ્‍છતા રહે તે માટે પ્રતિજ્ઞા પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી. સ્‍વચ્‍છતા કાર્યક્રમ હેઠળ શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા શાળાનાં પ્રાંગણમાં સ્‍વચ્‍છતા પણ કરવામાં આવી હતી. આમ, ગાંધી જયંતીની ઉજવણી શાળામાં હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી.

Related posts

વલસાડ પારનેરાથી પ્રસુતિ માટે 108 માં જઈ રહેલ મહિલાને વધુ દુઃખ ઉપડતા સ્‍ટાફે રસ્‍તામાં ડિલેવરી કરી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન અને સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના સહયોગથી નાની દમણ સાંઈ બાબા મંદિર પાસે આયુષ્‍યમાન કાર્ડના રિન્‍યુઅલ અને નવા કાર્ડ બનાવવા માટેની યોજાયેલી શિબિર

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

Leave a Comment