Vartman Pravah
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની કરૂણાતાઈ તાયડનું તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં સાપ કરડવાથી થયું દુઃખદ અવસાન

ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા શ્રી ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની શ્રીમતી કરૂણાતાઈ તાયડેનું આજે રાત્રિએ તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં સાપ કરડવાથી દુઃખદ અવસાન થતાં સમગ્ર દમણ-દાદરા નગર હવેલી તથા દક્ષિણ ગુજરાતના બૌધ્‍ધધમ્‍મ અને આંબેડકરવાદી પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી ભગવાન તાયડેના ધર્મપત્‍ની શ્રીમતી કરૂણાતાઈ તાયડે બૌધ્‍ધધમ્‍મના અનુયાયી હોવાની સાથે વાપી, સેલવાસ, વલસાડ તથા સુરત સુધી પોતાની સમાજ સેવા માટે જાણીતા હતા. તેમના આકસ્‍મિક નિધનથી સમસ્‍ત બૌધ્‍ધધમ્‍મના પરિવારો અને ડો. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણીફેલાઈ જવા પામી છે.
દમણમાં કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધન થયું હોવાની ખબર મળતાં જ તેમના વિશાળ સમર્થકોએ ઘેરા શોકની સાથે નાની દમણ મશાલચોક ખાતેના ભગવાન ગેરેજ ખાતે ઉપસ્‍થિત રહી દિવંગત આત્‍મા માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Related posts

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, 18 ને મેમો અપાયા

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment