June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની કરૂણાતાઈ તાયડનું તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં સાપ કરડવાથી થયું દુઃખદ અવસાન

ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા શ્રી ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની શ્રીમતી કરૂણાતાઈ તાયડેનું આજે રાત્રિએ તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં સાપ કરડવાથી દુઃખદ અવસાન થતાં સમગ્ર દમણ-દાદરા નગર હવેલી તથા દક્ષિણ ગુજરાતના બૌધ્‍ધધમ્‍મ અને આંબેડકરવાદી પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી ભગવાન તાયડેના ધર્મપત્‍ની શ્રીમતી કરૂણાતાઈ તાયડે બૌધ્‍ધધમ્‍મના અનુયાયી હોવાની સાથે વાપી, સેલવાસ, વલસાડ તથા સુરત સુધી પોતાની સમાજ સેવા માટે જાણીતા હતા. તેમના આકસ્‍મિક નિધનથી સમસ્‍ત બૌધ્‍ધધમ્‍મના પરિવારો અને ડો. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણીફેલાઈ જવા પામી છે.
દમણમાં કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધન થયું હોવાની ખબર મળતાં જ તેમના વિશાળ સમર્થકોએ ઘેરા શોકની સાથે નાની દમણ મશાલચોક ખાતેના ભગવાન ગેરેજ ખાતે ઉપસ્‍થિત રહી દિવંગત આત્‍મા માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Related posts

વલસાડમાં અજીબો ગરીબ કિસ્‍સો બન્‍યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્‍યા

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

સુસ્‍વાગતમ્‌-2025: મીઠી મધુરી કડવી તીખી યાદો સાથે 2024ની વિદાય

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment