April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની કરૂણાતાઈ તાયડનું તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં સાપ કરડવાથી થયું દુઃખદ અવસાન

ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા શ્રી ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની શ્રીમતી કરૂણાતાઈ તાયડેનું આજે રાત્રિએ તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં સાપ કરડવાથી દુઃખદ અવસાન થતાં સમગ્ર દમણ-દાદરા નગર હવેલી તથા દક્ષિણ ગુજરાતના બૌધ્‍ધધમ્‍મ અને આંબેડકરવાદી પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી ભગવાન તાયડેના ધર્મપત્‍ની શ્રીમતી કરૂણાતાઈ તાયડે બૌધ્‍ધધમ્‍મના અનુયાયી હોવાની સાથે વાપી, સેલવાસ, વલસાડ તથા સુરત સુધી પોતાની સમાજ સેવા માટે જાણીતા હતા. તેમના આકસ્‍મિક નિધનથી સમસ્‍ત બૌધ્‍ધધમ્‍મના પરિવારો અને ડો. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણીફેલાઈ જવા પામી છે.
દમણમાં કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધન થયું હોવાની ખબર મળતાં જ તેમના વિશાળ સમર્થકોએ ઘેરા શોકની સાથે નાની દમણ મશાલચોક ખાતેના ભગવાન ગેરેજ ખાતે ઉપસ્‍થિત રહી દિવંગત આત્‍મા માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Related posts

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

vartmanpravah

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પાસે પુટ્ટી પાવડરની આડમાં ટેમ્‍પોમાં ભરેલ રૂા.13.62 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment