July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઈકોનિક વીકની કરાયેલી ઉજવણીઃ બેંકના લોકાભિમુખ વહીવટની બતાવેલી ઝાંખી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
આજે મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આઈકોનિક વીકની ઉજવણીના સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રાજ અમૃત એમ., વલસાડ રિજિયનના માર્કેટિંગ ઓફિસર શ્રી રોહન, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી તથા બેંકના ગ્રાહકો અને દમણવાડા ગ્રામ પંચાયતના સખી મંડળના સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રાજ અમૃતે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પહેલાં બેંકો ઉપર શાહુકારોનો કબ્‍જો હતો. પરંતુ હવે બેંકનો વ્‍યાપ છેવાડેના લોકો સુધી વધ્‍યો છે અને જન ધન ખાતાથી બેંક છેવાડેના લોકો સુધી પહોંચી શકી છે. તેમણેડિજિટલ બેંકિંગ અને તેના માટે રાખનારી સાવધાનીની પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે વલસાડ રિજિયનના માર્કેટિંગ ઓફિસર શ્રી રોહને બેંકની વિવિધ પ્રોડક્‍ટની જાણકારી આપી હતી. તેમણે સિસ્‍ટમેટિક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન(એસઆઈપી) અને ફિક્‍સ ડિપોઝીટ તથા રિકરિંગ ડિપોઝીટ વચ્‍ચેના ભેદ સમજાવ્‍યા હતા અને તેમના ફાયદાની પણ જાણકારી આપી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ મુદ્રા યોજના સહિતની વિવિધ ધિરાણની યોજના અંગે લોકજાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, ભારત સરકાર યુવાનોને પોતાના ધંધા-ઉદ્યોગના સ્‍ટાર્ટઅપ માટે પ્રોત્‍સાહન આપે છે, પરંતુ કેટલીક વખત બેંકોના અક્કડ વલણના કારણે યુવા સાહસિકોને જરૂરી મૂડી નહીં મળવાથી તેમનું સ્‍વપ્‍ન સાર્થક થઈ શકતું નથી. તેથી ભારત સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે સૂચન કર્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, દમણવાડા ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના સભ્‍ય શ્રીમતી પ્રીતિબેન હળપતિ સહિત સખી મંડળની બહેનો તથા બેંકના ગ્રાહકો અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

વાપી-ઉદવાડા વચ્‍ચે પાવર કમ ટ્રાફિક બ્‍લોકને કારણે તા.05-06 ડિસેમ્‍બરે 8 ટ્રેનનો સમય પ્રભાવિત થશે

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

પોતાના રાજાશાહી શોખને લઈ જાન ગુમાવતો મોટા વાઘછીપાનો આધેડ

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment