Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: લોકપ્રશ્નોના નિષ્‍ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્‍વાગત કાર્યક્રમને 20 વર્ષ પુરા થયા છે ત્‍યારે જાહેર જનતાના પ્રશ્નોનું સ્‍થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્‍ય સરકાર દ્વારા ‘સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ હેઠળ સ્‍વાગત સપ્તાહનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.
જે અંતર્ગત, વલાસાડ જિલ્લામાં તા.24 એપ્રિલના રોજ તાલુકા સ્‍વાગત કાર્યક્રમ હેઠળ કુલ-608 અરજીઓ નોંધવામાં આવી હતી. જેમાં પારડી તાલુકામાં-56 અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓને તા.24 એપ્રિલના રોજ પ્રાંત અધિકારીશ્રી ડી.જે.વસાવા અને મામલતદાર આર.આર.ચૌધરીની ઉપસ્‍થિતિમાં પારડી તાલુકાસ્‍વાગતમાં રૂબરૂ સાંભળવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતની 29, ડી.જી.વી.સી.એલ.ની 10, દમણગંગા નહેર(સિંચાઈ વિભાગ)ની 3, મામલતદાર કચેરીની 6, માર્ગ અને મકાન વિભાગની 2, રેંજ ફોરેસ્‍ટ, એસ.ટી.નિગમ અને ગ્રામ પંચાયત રોહિણાની 1-1 અરજીઓ મળી હતી., 56 અરજીઓમાંથી 39 અરજીઓનો હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો. બાકી રહેલી 19 અરજીઓને જિલ્લા સ્‍વાગતમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા પાણી સંબંધિત, વીજ કનેક્‍શન, શાળા, આંગણવાડીના મકાનો અંગે, રસ્‍તા રીપેરીંગ, મનરેગા, લાઇબ્રેરી, સિંચાઈ, વગેરે જેવા વિવિધ પ્રશ્નોની નોંધ લેવામાં આવી હતી.

Related posts

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

ડુંગરા પોલીસે કરવડ-તંબાડી ત્રણ રસ્‍તા પાસે ચોરીના ઈરાદે આવેલા યુવકની અટકાયત કરી

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહમાં ચોમાસા દરમિયાન મચ્‍છરજન્‍ય ડેન્‍ગ્‍યુ સહિતના રોગોનો ફેલાવો અટકાવવા બાંધકામ સાઇટ સુપરવાઇઝરોને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

પલસાણાના બંગલામાંથી પૈસા ભરેલ બેગની ચોરી: 22 દિવસ બાદ નોંધાવી ચોરીની ફરિયાદ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

Leave a Comment