February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: લોકપ્રશ્નોના નિષ્‍ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્‍વાગત કાર્યક્રમને 20 વર્ષ પુરા થયા છે ત્‍યારે જાહેર જનતાના પ્રશ્નોનું સ્‍થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્‍ય સરકાર દ્વારા ‘સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ હેઠળ સ્‍વાગત સપ્તાહનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.
જે અંતર્ગત, વલાસાડ જિલ્લામાં તા.24 એપ્રિલના રોજ તાલુકા સ્‍વાગત કાર્યક્રમ હેઠળ કુલ-608 અરજીઓ નોંધવામાં આવી હતી. જેમાં પારડી તાલુકામાં-56 અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓને તા.24 એપ્રિલના રોજ પ્રાંત અધિકારીશ્રી ડી.જે.વસાવા અને મામલતદાર આર.આર.ચૌધરીની ઉપસ્‍થિતિમાં પારડી તાલુકાસ્‍વાગતમાં રૂબરૂ સાંભળવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતની 29, ડી.જી.વી.સી.એલ.ની 10, દમણગંગા નહેર(સિંચાઈ વિભાગ)ની 3, મામલતદાર કચેરીની 6, માર્ગ અને મકાન વિભાગની 2, રેંજ ફોરેસ્‍ટ, એસ.ટી.નિગમ અને ગ્રામ પંચાયત રોહિણાની 1-1 અરજીઓ મળી હતી., 56 અરજીઓમાંથી 39 અરજીઓનો હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો. બાકી રહેલી 19 અરજીઓને જિલ્લા સ્‍વાગતમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા પાણી સંબંધિત, વીજ કનેક્‍શન, શાળા, આંગણવાડીના મકાનો અંગે, રસ્‍તા રીપેરીંગ, મનરેગા, લાઇબ્રેરી, સિંચાઈ, વગેરે જેવા વિવિધ પ્રશ્નોની નોંધ લેવામાં આવી હતી.

Related posts

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વાપી જીઆઈડીસી ફર્સ્‍ટ ફેઈઝમાં આવેલ ડાઈંગ કંપની દ્વારા ગ્રીન સ્‍પેસ પર કબજો કરી પાર્કિંગ ઉભું કરી નાખ્‍યું

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

વલસાડ જિલ્લા ટેબલ ટેનિસની સ્‍પર્ધામાં જ્ઞાનધામ સ્‍કૂલનો વિદ્યાર્થી પ્રથમ વિજેતા બન્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment