(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.26: પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોનો આજે ડ્રો કરી લાભાર્થીઓને ફલેટ નંબર આપવામાં આવ્યા હતા. દીવના શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 104 ફલેટસ, ઘોઘલા બાદોડકર કોલોની ખાતે અને બૂચરવાડા ચેક પોસ્ટ પાસે બનાવેલા સૂર્યોદય યોજના હેઠળ બનેલા 77 ફલેટ્સનું નગરપાલિકાના સભાખંડમાં આજે ડ્રો કરાયો હતો.
આજે કુલ 181 લાભાર્થીઓમાટે ફલેટોની સોંપણી હેતુ ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ હતું. લાભાર્થીઓને ફલેટ્સ મળતા તેઓની આંખમાં ખુશીના આંસુ છલકાયા હતા. આજે ડ્રો દરમિયાન જે લાભાર્થીઓને ફલેટ મળ્યા છે તેને આવતીકાલે સવારે 10:30 કલાકે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના હસ્તે ફલેટની ચાવી સોંપવામાં આવશે. આજે ગ્રામીણ વિસ્તારમાં અરજી કરનાર દરેક લાભાર્થીઓને ફલેટ્સ આપવામાં આવ્યા છે જ્યારે શહેરી વિસ્તારમાં બાકી રહેલા લાભાર્થીઓને બે મહિના પછી ફરી ડ્રો કરીને ફલેટ્સ અપાશે.
Previous post