January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

29 સભ્‍યો ધરાવતી જળ સંસાધન સમિતિ દમણ અને સેલવાસમાં ભૂગર્ભ જળની સ્‍થિતિથી માંડી જળ શક્‍તિ અભિયાનની પણ સમીક્ષા કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: આજે લોકસભાની ડિપાર્ટમેન્‍ટલી રિલેટેડ સ્‍ટેન્‍ડિંગ કમીટિ અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્‍યોનું દમણમાંઆગમન થયું છે. સંસદીય સમિતિના જૂથમાં 35 જેટલા સભ્‍યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે જળ સંસાધન સમિતિના ચેરમેન લોકસભાની પヘમિ ચંપારણ બેઠકના ભાજપના સાંસદ શ્રી સંજય જયસ્‍વાલ પોતાના વ્‍યસ્‍ત કાર્યક્રમના કારણે દમણ અને સેલવાસની મુલાકાતે નહીં આવવાના હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્‍યું છે. તેમના સ્‍થાને અધ્‍યક્ષસ્‍થાન અમદાવાદ(પૂર્વ)ના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલ સંભાળવાના હોવાનું પણ જાણવા મળે છે.
બે દિવસના રોકાણ દરમિયાન સંસદીય સમિતિના સભ્‍યો જળ સંસાધન અંતર્ગત પોતાનો અભ્‍યાસ કરશે અને અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવશે.

Related posts

વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

વલસાડમાં વેપારી પરિવાર રાજસ્‍થાન લગ્નમાં ગયો ને બંધ ઘરમાં ચોરી : તસ્‍કરો સોના-ચાંદી અને રોકડ ચોરી ગયા

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment