વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના મંત્રીશ્રી, કોલેજના આચાર્યશ્રી, સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર વિવિધ યોગ અને પ્રાણાયામમાં જોડાયા હતા. આ પ્રસંગે સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલાએ શરૂઆતમાં શુભેચ્છા આપી ત્યારબાદ આચાર્ય શ્રી ડૉ. દિનેશભાઇ ચૌધરીએ યોગ અને વિવિધ આસનો કરાવ્યા હતા અને દરેકનું મહત્વ સમજાવ્યું હતું. અંતમાં એન. એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડૉ. અજય પટેલે સૌનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી.