September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

થર્ડ ફેઈઝમાં આવેલ અનુપમ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ગટરમાં છોડવામાં આવતું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ઔદ્યોગિક વસાહત પ્રદૂષણ મામલે વારંવાર ચર્ચામાં રહે છે. કેટલીક કંપનીઓ બેરોકટોક પ્રદૂષણ ફેલાવતી રહે છે તેવી થર્ડ ફેઝમાં કાર્યરત એક કેમિકલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવામાં આવી રહેલું હોવાની વ્‍યાપક ફરિયાદો બાદ જી.પી.સી.બી. એકશનમાં આવી છે. કંપનીની ડ્રેનેજમાંથી પ્રદૂષિત પાણી ચકાસણી માટે સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે.
વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝ વિસ્‍તારમાં કાર્યરત અનુપમ કેમિકલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં બારોબાર નિકાલ કરવામાં આવી રહ્યો હતો. મીડિયા તથા અન્‍ય લોકોની વ્‍યાપક ફરિયાદો, અહેવાલો બાદ અંતેજી.પી.સી.બી.એ આળસ ખંખેરીને કંપની દ્વારા ડ્રેનેજમાં છોડાઈ રહેલ પ્રદૂષિત પાણીના સેમ્‍પલ લેવાયા હતા. આ સેમ્‍પલો વડી કચેરી ગાંધીનગરમાં મોકલાયા છે. સેમ્‍પલ રિપોર્ટ બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્‍યું છે. અલબત્ત હંમેશાં થતું આવ્‍યું છે તેમ જી.પી.સી.બી. દ્વારા પાછળથી ઢાંકપિછોડો રાબેતા મુજબ કરવામાં આવશે તેવું ઉદ્યોગ વર્તુળોની ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જી.પી.સી.બી. દ્વારા સખ્‍ત કાર્યવાહી અપવાદ કેસોમાં કરવામાં આવી છે તે જગજાહેર છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

vartmanpravah

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

સુરત દૈવજ્ઞ સમાજ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધરમપુરને હરાવી મુંબઈની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેતારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

vartmanpravah

ધરમપુરમાં મહિલા મંડળ બિલપુડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિલેટ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment