September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા અને વલસાડ ડીવીજન ડીવાયએસપીશ્રી એમ.એન.ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ મેડીકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પોલીસ વિભાગની 24થ7 ની કપરી ફરજ દરમિયાન દરેક સ્‍ટાફની શારીરિક તપાસ કરીને તંદુરસ્‍તી કાયમ રાખવાનાં અભિગમ સાથે મેડીકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતું. આ મેડીકલ ચેકઅપ કેમ્‍પમાં ફિઝિસિયન સર્જન, ગાયનેકોલોજીસ્‍ટ, ઓપ્‍થેલોજીસ્‍ટ, ઓર્થોપેડિકસ, ઈએનટી સર્જન, ડેન્‍ટિસ્‍ટ ડોક્‍ટરશ્રીઓએ સેવા આપી હતી.
તંદુરસ્‍ત શરીર, તંદુરસ્‍ત સમાજની ઉક્‍તિને ચરિતાર્થ કરવાનાં અભિગમ સાથે આયોજીત આજના મેડીકલ ચેકઅપ કેમ્‍પમાં 112 પોલીસ કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓ હાજર રહીને લાભ લીધી હતો.
ડોક્‍ટર્સ ડે નિમિતે વલસાડ ફિઝિસિયન એસોસિએશન અને વલસાડ એમ.આર. એસોસિએશન દ્વારા વલસાડ સિટી પોલિસ સ્‍ટેશનના આશરે 112 કરતા વધારે કર્મચારીઓને વિનામૂલ્‍યે સુગર, પ્રેસર અને ઈસીજી, આંખ-કાન-નાક-ગળા,સ્ત્રી રોગ અને હાડકા સંબંધિત બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવી હતી.
જેમાં વલસાડના ખ્‍યાતનામ તબીબોડો. દેવાંગ દેસાઈ, ડો. સમીર દેસાઈ, ડો. અજય પરમાર, ડો.નિશિથ પટેલ, ડો.વિરાંગ દમણીયા, ડો. ખ્‍યાતિ પટેલ, ડો. રૂપલ રાણા પટેલ, ડો. કેયુર પટેલ, ડો. શિવાની પટેલ, ડો. ધવલ પટેલ અને એમ. આર. એસોસિએસનના પ્રજ્ઞેશ પાંડે, સુદેશ દેસાઈ, જયેશ ભટ્ટ સહિતના લોકોએ સેવાઓ આપી હતી. કેમ્‍પમાં ખેરગામના જાણીતા ગોલ્‍ડ મૅડલિસ્‍ટ સર્જન અને ઈન્‍ડિયન મેડિકલ એસોસિએસનના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે પ્રેરક હાજરી આપી હતી.
આ કેમ્‍પને સફળ બનાવવા બદલ વલસાડ ફિઝિસિયન એસોસિએશન અને વલસાડ એમ.આર. એસોસિએશનનાં તમામ સભ્‍યોનો પોલીસ વિભાગે હદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

vartmanpravah

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા એન.ડી.પી. ગ્રુપ ગુંદલાવ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment