(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડી કે જે કાવેરી નદીને મળે છે તે નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના માલિક દ્વારા મરેલા મરઘા ફેંકી જવાતા પાણી દૂષિત થવા સાથે રોગચાળાની દહેશત વચ્ચે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રવિવારના રોજ લોકો નાની ખાડી પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
આ સમગ્ર બનાવ અંગેના અખબારી અહેવાલ બાદ સોમવારના રોજ તાલુકાના આરોગ્ય અધિકારી ડો.અલ્પેશભાઈ, તાલુકાના સુપરવાઈઝર વિજયભાઈ કુકેરી પીએચસીના સુપરવાઈઝર રાકેશભાઈ સહિતનો કુકેરી પીએચસીનો સ્ટાફ દોણજા ધસી જઈ નાની ખાડીના પાણીમાં મરઘા ફેંકવામાં આવ્યા હતા. તે સ્થળનું નિરીક્ષણ કરી સ્થાનિકોને તકેદારી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હકીકતમા મૃત મરઘાંઓને જમીનમાં ઊંડો ખાડો કરી તેનો નિકાલ કરવાનો હોય છે. તેના સ્થાને આ રીતે પાણીમાં નાંખી દઈ લોકોનું આરોગ્ય જોખમાય તેવુ કળત્ય કરનાર સામે પગલા લેવાની પણ માંગ ઉઠવાપામી છે.