March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડી કે જે કાવેરી નદીને મળે છે તે નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના માલિક દ્વારા મરેલા મરઘા ફેંકી જવાતા પાણી દૂષિત થવા સાથે રોગચાળાની દહેશત વચ્‍ચે સ્‍થાનિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્‍યો હતો અને રવિવારના રોજ લોકો નાની ખાડી પાસે મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા.
આ સમગ્ર બનાવ અંગેના અખબારી અહેવાલ બાદ સોમવારના રોજ તાલુકાના આરોગ્‍ય અધિકારી ડો.અલ્‍પેશભાઈ, તાલુકાના સુપરવાઈઝર વિજયભાઈ કુકેરી પીએચસીના સુપરવાઈઝર રાકેશભાઈ સહિતનો કુકેરી પીએચસીનો સ્‍ટાફ દોણજા ધસી જઈ નાની ખાડીના પાણીમાં મરઘા ફેંકવામાં આવ્‍યા હતા. તે સ્‍થળનું નિરીક્ષણ કરી સ્‍થાનિકોને તકેદારી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
હકીકતમા મૃત મરઘાંઓને જમીનમાં ઊંડો ખાડો કરી તેનો નિકાલ કરવાનો હોય છે. તેના સ્‍થાને આ રીતે પાણીમાં નાંખી દઈ લોકોનું આરોગ્‍ય જોખમાય તેવુ કળત્‍ય કરનાર સામે પગલા લેવાની પણ માંગ ઉઠવાપામી છે.

સરપંચ પતિ પ્રવિણભાઈના જણાવ્‍યાનુસાર અમારા દોણજા ગામમાં નાની ખાડીમાં મરેલા મરઘાઓ ફેંકી જવાતા આરોગ્‍ય વિભાગની ટીમે મુલાકત લીધી હતી. અમારા ગામમાં આ વિસ્‍તારમાં પોલટ્રી ફાર્મ જ નથી કોઈ બીજા ગામમાંથી નાંખી જતું હોય તેમ જણાઈ રહ્યું છે.

ટીએચઓ ડો.અલ્‍પેશભાઈ ચીખલી જણાવ્‍યાનુસાર દોણજામાં અમે વિઝીટ કરી છે. અને આમ તોકોઈ પાણીનો ઉપયોગ કરતું નથી અને હાલે પણ પાણીમાં મરઘા હોય સાવચેતી માટે જણાવાયું છે અને બાજુમાં વાદરવેલાની હદ હોય વાંસદા ટીએચઓને પણ જાણ કરી છે.

Related posts

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

ધરમપુર સ્‍પે.કોર્ટનો ચુકાદો : પૂત્રી ઉપર વારંવાર દુષ્‍કૃત્‍ય કરી ગર્ભવતી બનાવનાર બાપને આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સાર્વજનિક વિદ્યાલય દમણમાં રાજભાષા વિભાગ દ્વારા ‘હિન્‍દી ઝડપી કાવ્‍ય લેખન’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

Leave a Comment