Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડી કે જે કાવેરી નદીને મળે છે તે નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના માલિક દ્વારા મરેલા મરઘા ફેંકી જવાતા પાણી દૂષિત થવા સાથે રોગચાળાની દહેશત વચ્‍ચે સ્‍થાનિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્‍યો હતો અને રવિવારના રોજ લોકો નાની ખાડી પાસે મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા.
આ સમગ્ર બનાવ અંગેના અખબારી અહેવાલ બાદ સોમવારના રોજ તાલુકાના આરોગ્‍ય અધિકારી ડો.અલ્‍પેશભાઈ, તાલુકાના સુપરવાઈઝર વિજયભાઈ કુકેરી પીએચસીના સુપરવાઈઝર રાકેશભાઈ સહિતનો કુકેરી પીએચસીનો સ્‍ટાફ દોણજા ધસી જઈ નાની ખાડીના પાણીમાં મરઘા ફેંકવામાં આવ્‍યા હતા. તે સ્‍થળનું નિરીક્ષણ કરી સ્‍થાનિકોને તકેદારી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
હકીકતમા મૃત મરઘાંઓને જમીનમાં ઊંડો ખાડો કરી તેનો નિકાલ કરવાનો હોય છે. તેના સ્‍થાને આ રીતે પાણીમાં નાંખી દઈ લોકોનું આરોગ્‍ય જોખમાય તેવુ કળત્‍ય કરનાર સામે પગલા લેવાની પણ માંગ ઉઠવાપામી છે.

સરપંચ પતિ પ્રવિણભાઈના જણાવ્‍યાનુસાર અમારા દોણજા ગામમાં નાની ખાડીમાં મરેલા મરઘાઓ ફેંકી જવાતા આરોગ્‍ય વિભાગની ટીમે મુલાકત લીધી હતી. અમારા ગામમાં આ વિસ્‍તારમાં પોલટ્રી ફાર્મ જ નથી કોઈ બીજા ગામમાંથી નાંખી જતું હોય તેમ જણાઈ રહ્યું છે.

ટીએચઓ ડો.અલ્‍પેશભાઈ ચીખલી જણાવ્‍યાનુસાર દોણજામાં અમે વિઝીટ કરી છે. અને આમ તોકોઈ પાણીનો ઉપયોગ કરતું નથી અને હાલે પણ પાણીમાં મરઘા હોય સાવચેતી માટે જણાવાયું છે અને બાજુમાં વાદરવેલાની હદ હોય વાંસદા ટીએચઓને પણ જાણ કરી છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દીવ વણાંકબારા ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મહિલાઓ સાથે બેઠક યોજી ‘મોદી સરકાર’ને ફરી જીતાડવા કરેલું આહ્‌વાન

vartmanpravah

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment