Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડી કે જે કાવેરી નદીને મળે છે તે નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના માલિક દ્વારા મરેલા મરઘા ફેંકી જવાતા પાણી દૂષિત થવા સાથે રોગચાળાની દહેશત વચ્‍ચે સ્‍થાનિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્‍યો હતો અને રવિવારના રોજ લોકો નાની ખાડી પાસે મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા.
આ સમગ્ર બનાવ અંગેના અખબારી અહેવાલ બાદ સોમવારના રોજ તાલુકાના આરોગ્‍ય અધિકારી ડો.અલ્‍પેશભાઈ, તાલુકાના સુપરવાઈઝર વિજયભાઈ કુકેરી પીએચસીના સુપરવાઈઝર રાકેશભાઈ સહિતનો કુકેરી પીએચસીનો સ્‍ટાફ દોણજા ધસી જઈ નાની ખાડીના પાણીમાં મરઘા ફેંકવામાં આવ્‍યા હતા. તે સ્‍થળનું નિરીક્ષણ કરી સ્‍થાનિકોને તકેદારી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
હકીકતમા મૃત મરઘાંઓને જમીનમાં ઊંડો ખાડો કરી તેનો નિકાલ કરવાનો હોય છે. તેના સ્‍થાને આ રીતે પાણીમાં નાંખી દઈ લોકોનું આરોગ્‍ય જોખમાય તેવુ કળત્‍ય કરનાર સામે પગલા લેવાની પણ માંગ ઉઠવાપામી છે.

સરપંચ પતિ પ્રવિણભાઈના જણાવ્‍યાનુસાર અમારા દોણજા ગામમાં નાની ખાડીમાં મરેલા મરઘાઓ ફેંકી જવાતા આરોગ્‍ય વિભાગની ટીમે મુલાકત લીધી હતી. અમારા ગામમાં આ વિસ્‍તારમાં પોલટ્રી ફાર્મ જ નથી કોઈ બીજા ગામમાંથી નાંખી જતું હોય તેમ જણાઈ રહ્યું છે.

ટીએચઓ ડો.અલ્‍પેશભાઈ ચીખલી જણાવ્‍યાનુસાર દોણજામાં અમે વિઝીટ કરી છે. અને આમ તોકોઈ પાણીનો ઉપયોગ કરતું નથી અને હાલે પણ પાણીમાં મરઘા હોય સાવચેતી માટે જણાવાયું છે અને બાજુમાં વાદરવેલાની હદ હોય વાંસદા ટીએચઓને પણ જાણ કરી છે.

Related posts

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

સરકારી પોલીટેક્‍નિક કોલેજ દમણમાં ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ’નો આરંભ

vartmanpravah

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment