April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

અધિકારીઓ, કોન્‍ટ્રાક્‍ટરોને આપેલું માર્ગદર્શન : હજુ વધુ સારુ કરવા આપેલા દિશા-નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.07
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની ત્રણ દિવસીય દાદરા નગર હવેલી મુલાકાત દરમિયાન પહેલા દિવસે લગભગ 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો અને વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. આજની મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીની વક્ર દૃષ્‍ટિ કોઈ અધિકારી, કોન્‍ટ્રાક્‍ટર કે પ્રોજેક્‍ટના કામ ઉપર નહીં પડતા સંબંધિતોએ રાહતનો દમ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની ત્રણ દિવસીય મુલાકાતના પહેલા દિવસે અથાલ પુલ, યાત્રિ નિવાસ ફલાયઓવર, પંચાયત બજાર, સેન્‍ટ્રલ પાર્ક, દાદરા સ્‍કૂલ, દાદરા-તિઘરા માર્ગ, પિપરીયા ફલાય ઓવર, શાકભાજી માર્કેટ, ઝંડાચોક સ્‍કૂલનું નિરીક્ષણ સવારના સત્રમાં કર્યુ હતું. ત્‍યારબાદ બપોરે 3:00 વાગ્‍યાથી શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલની નવી બિલ્‍ડીંગ, મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજમાં ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરી સ્‍થળ ઉપર જ પ્રશાસનિક અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોને આવશ્‍યક દિશા-નિર્દેશ આપ્‍યા હતા.
પ્રશાસકશ્રીની મુલાકાત દરમિયાન સલાહકાર શ્રી એ.કે.સિંઘ,નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, પ્રશાસકશ્રીના અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા, જિલ્લા કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ, આરોગ્‍ય સચિવડો.એ.મુથમ્‍મા, શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન, પ્રવાસન સચિવ શ્રીમતી તપસ્‍યા રાઘવ, ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આવતી કાલે પણ પ્રશાસકશ્રી વિવિધ વિસ્‍તારોમાં ચાલી રહેલા વિકાસકામોની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરશે.

Related posts

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

vartmanpravah

દાનહ જિ.પં.ના જેડી(યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના સભ્‍યોની નીતિ અને નિયત સ્‍પષ્‍ટ નહીં હોવાથી આવતા દિવસોમાં મોટા રાજકીય નુકસાન વેઠવાની સંભાવના

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

Leave a Comment