March 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવ રૂપે બહાર પાડેલ સિક્કા-સ્‍ટેમ્‍પ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ભેટ મળ્‍યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ ના મુલ્યના સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં લોન્ચ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્‍સવની યાદગીરી રૂપે 1, 2, 5, 10 અને 20 ના સિક્કા તથા કેન્‍દ્રીય બજેટોની યાદગીરી સ્‍વરૂપે પોસ્‍ટલ ટિકિટ બહાર પાડી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ હરીયાણામાં યોજાયેલ નેશનલ જી.એશ.ટી. કાઉન્‍સીલમાં ભેટ આપી હતી. આ પ્રસંગેગુજરાત સરકારના કેબીનેટ નાણાં-ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને કેન્‍દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સિક્કા અને પોસ્‍ટલ ટિકિટની કીટ ભેટ આપી હતી.
આઝાદી કા અમૃત મહોત્‍સવના ભાગરૂપે સ્‍વતંત્રતાના 75 મા વર્ષની ઉજવણી ચાલી રહી છે તેની યાદગીરી લોકોમાં કાયમી કરવાના હેતુએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ 1, 2, 5, 10 અને 20 નવા સિક્કા અને પોસ્‍ટલ ટિકિટ લોન્‍ચ કરી છે. ચંદીગઢ ખાતે યોજાયેલ 47 મી જી.એસ.ટી. કાઉન્‍સીલની મીટિંગમાં નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે આ સિક્કા અને પોસ્‍ટલ ટિકિટ ગુજરાતના નાણાંપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈને ભેટ આપી હતી. આ સિક્કાની ખાસિયત એ છે કે બ્‍લાઈન્‍ડ વ્‍યક્‍તિ પણ સહેલાઈથી ઓળખી શકે. આ સિક્કા અને સ્‍ટેમ્‍પની ભેટ મેળવનાર એકમાત્ર વ્‍યક્‍તિ કનુભાઈ દેસાઈ હતા તે બાબત જિલ્લા માટે પણ ગૌરવરૂપ સમાન લેખાવી શકાય.

Related posts

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah

વલોટી સહિત ચીખલી પંથકમાં ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની કેક કાપી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

Leave a Comment