Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવ રૂપે બહાર પાડેલ સિક્કા-સ્‍ટેમ્‍પ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ભેટ મળ્‍યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ ના મુલ્યના સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં લોન્ચ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્‍સવની યાદગીરી રૂપે 1, 2, 5, 10 અને 20 ના સિક્કા તથા કેન્‍દ્રીય બજેટોની યાદગીરી સ્‍વરૂપે પોસ્‍ટલ ટિકિટ બહાર પાડી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ હરીયાણામાં યોજાયેલ નેશનલ જી.એશ.ટી. કાઉન્‍સીલમાં ભેટ આપી હતી. આ પ્રસંગેગુજરાત સરકારના કેબીનેટ નાણાં-ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને કેન્‍દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સિક્કા અને પોસ્‍ટલ ટિકિટની કીટ ભેટ આપી હતી.
આઝાદી કા અમૃત મહોત્‍સવના ભાગરૂપે સ્‍વતંત્રતાના 75 મા વર્ષની ઉજવણી ચાલી રહી છે તેની યાદગીરી લોકોમાં કાયમી કરવાના હેતુએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ 1, 2, 5, 10 અને 20 નવા સિક્કા અને પોસ્‍ટલ ટિકિટ લોન્‍ચ કરી છે. ચંદીગઢ ખાતે યોજાયેલ 47 મી જી.એસ.ટી. કાઉન્‍સીલની મીટિંગમાં નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે આ સિક્કા અને પોસ્‍ટલ ટિકિટ ગુજરાતના નાણાંપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈને ભેટ આપી હતી. આ સિક્કાની ખાસિયત એ છે કે બ્‍લાઈન્‍ડ વ્‍યક્‍તિ પણ સહેલાઈથી ઓળખી શકે. આ સિક્કા અને સ્‍ટેમ્‍પની ભેટ મેળવનાર એકમાત્ર વ્‍યક્‍તિ કનુભાઈ દેસાઈ હતા તે બાબત જિલ્લા માટે પણ ગૌરવરૂપ સમાન લેખાવી શકાય.

Related posts

શ્રી દૈવજ્ઞ સમાજ દમણની શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્‍વી તારલાઓને ઈનામો આપી સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

વાપીમાં જૂના ગરનાળા પાસેથીચોરીની મોપેડ સાથે કિશોરને એસ.ઓ.જી.એ ઝડપી પાડયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

Leave a Comment